નવી દિલ્હી તા.9: પાકિસ્તાન ટી-20 લીગ (પીએસએલ)ના બાકી રહેતા મેચો પાકિસ્તાનમાં રમાશે નહીં. ભારત-પાકિસ્તાન વચ્ચેની યુધ્ધની પરિસ્થિતિ બાદ પીસીબીએ આ નિર્ણય લીધો છે. ગુરૂવારે રાવલપિંડી સ્ટેડિયમ સંકુલમાં ભારતીય ડ્રોનના હુમલાથી પાક. ક્રિકેટ બોર્ડ ચિંતામાં આવી ગયું હતું અને બાદમાં પીએસએલના બાકીના મેચો યૂએઇમાં આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ પછી યૂએઇ ક્રિકેટ એસો. અને દુબઇ સ્ટેડિયમના સંચાલકોએ પીએસએલના મેચના આયોજન માટે પીસીબીને સ્પષ્ટ ના પાડી દીધી હતી.
પીએસએલના
મેચો ગુરૂવારથી રદ થયા છે. એ દિવસે રાવલપિંડી સ્ટેડિયમમાં પેશાવર જાલ્મી અને કરાચી
કિંગ્સ વચ્ચે મેચ રમાવાનો હતો. જે ભારતના ડ્રોન હુમલા પછી પડતો મુકાયો હતો.
પાકિસ્તાન
ટી-20 લીગમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દ. આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, બાંગલાદેશ, શ્રીલંકા
અને અફઘાનિસ્તાન સહિત 37 વિદેશી ખેલાડી સામેલ છે.
આ તમામ વિદેશી ખેલાડી પાકિસ્તાન રહેવા માંગતા નથી. તેઓ જલ્દીમાં જલ્દી પાકિસ્તાન
છોડવા ગોઠવણ કરી રહ્યા છે.