• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યાનો ખાલિસ્તાની સંગઠનનો દાવો

ઈમેઈલથી જવાબદારી લીધી, પીલીભીત એન્કાઉન્ટરનો બદલો લીધાનું રટણ : પોલીસે ફગાવ્યો

જાલંધર તા.ર1 : યુપીના પ્રયાગરાજ ખાતે તા.19 જાન્યુઆરીના લાગેલી ભીષણ આગ બાદ એક ખાલિસ્તાની સંગઠને દાવો કર્યો છે કે તેણે મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યો હતો. ઈમેઈલમાં ફતેહસિંહ બાગીનું નામ દર્શાવવામાં આવ્યુ છે.

આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (કેઝેડ એફ) એ મીડિયાને ઈમેઈલ મોકલીને દાવો કર્યો છે કે તેણે પીલીભીત એન્કાઉન્ટરનો બદલો લેવા મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યો છે. આ બ્લાસ્ટનો હેતુ નુકસાન પહોંચાડવાનો ન હતો પરંતુ એક ચેતવણી હતી. ઉલ્લેખનીય છે કે પીલીભીતમાં ર3 ડિસેમ્બરે યૂપી પોલીસે એન્કાઉન્ટરમાં 3  આતંકવાદી ઠાર માર્યા હતા. મહાકુંભમાં ગત રવિવારે સાંજે અચાનક લાગેલી આગમાં 180 જેટલા ટેન્ટ રાખ થઈ ગયા હતા. રાંધણગેસનો બાટલો ફાટયા બાદ આગ લાગ્યાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. હવે ખાલિસ્તાની સંગઠને મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યાને પગલે આગ લાગ્યાનો દાવો કર્યો છે. જો કે યુપી પોલીસે આવા દાવાને ફગાવ્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025