• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 15 નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વની ઉજવણી કરાશે 7.6 કિમીમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો

અમદાવાદ, તા.18 : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના ભાગરૂપે એકતા નગર ખાતે પૂર્વ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ પ્રકાશના ઉત્સવ દીપોત્સવી પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વ તા.17 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ભવ્ય રીતે યોજાઈ રહ્યું છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરી તક છે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે.

એકતા નગર ખાતે તા.31 અૉક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દિપોત્સવીની પણ તા.20 ઓક્ટોબરે ઉજવણી થનાર છે. એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતા નગરમાં અદભૂત લાઈટિંગથી સજ્જ છે. રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવત: ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળાહળ ઉજવણીનો એકતાનગર ખાતે ગઈકાલ તા.17થી પ્રારંભ થયો છે. જેમાં કુલ 7.6 કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો છે. જજ્ઞઞઅઉઝઋઅના મુખ્ય કારોબારી અધિકારી  અમીત અરોરા, અધિક કલેક્ટર નારાયણ માધુ, ઈઈંજના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રવાસીઓની હાજરીમાં એકતાપ્રકાશ પર્વને ખૂલ્લું મૂકાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક