મદ્રાસ હાઈ કોર્ટે કેન્દ્રની સરકારને બાળકો અને સોશિયલ મીડિયા સંદર્ભે અગત્યની સલાહ આપી છે. ઉચ્ચ ન્યાયાલયે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના વધતા વ્યાપ અને બાળકો દ્વારા થતા તેના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ નિયંત્રિત કરી દેવો જોઈએ. જેમ ઓસ્ટ્રેલિયામાં આના માટે વિશેષ કાયદાકીય જોગવાઈ છે તેમ ભારત સરકારે પણ કાયદો બનાવવો જોઈએ અને તે અંતર્ગત ટીન એજ ગણાતા- તરુણ, કિશોર વયના વર્ગ માટે સોશિયલ સાઈટ્સના ઉપયોગ પણ અનેક નિયમનો હોવા જોઈએ. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયનું આ સૂચન કેટલું અમલમાં મૂકી શકાય તે તો સમય કહેશે પરંતુ આના ઉપર એક અગત્યની ચર્ચા શરૂ થઈ છે.
ગુરુવારે
સૈનિકોના સોશિયલ મીડિયા ઉપયોગ ઉપર નિંયત્રણનો મુદ્દો આવ્યો હતો. 2018માં થયેલી જાહેર હિતની એક અરજીની સુનાવણી કરતાં
મદ્રાસ હાઈ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને સૂચન કર્યું કે સગીરવયના વર્ગ માટે સોશિયલ
મીડિયા ઉપર નિંયત્રણ હોવા જોઈએ. ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટીકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
ઉપર તેમના એકાઉન્ટ હોવા જ ન જોઈએ. ઓસ્ટ્રેલિયામાં આવો કાયદો છે. જો આ ઉંમરના કોઈ વ્યક્તિએ
આવા એકાઉન્ટ બનાવ્યા હોય તો તે તાત્કાલિક બંધ થવા જોઈએ. જસ્ટિસ જી. જયચંદ્રન અને રામકૃષ્ણનની
વિભાગીય ખંડપીઠે ઈન્ટરનેટ સર્વીસ પ્રોવાઈડર ઉપર વધારે નિયંત્રણ મૂકવા સરકારને સૂચન
કર્યું છે.
ઈન્ટરનેટની
સુવિધા આપનાર કંપનીઓને એવો નિર્દેશ અપાવો જોઈએ કે તે પેરેન્ટલ વીન્ડો સેવા આપે જેથી
કરીને માતા-િપતા કે ઘરના મોટેરાં બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ ઉપર નજર અને નિયંત્રણ રાખી
શકે. એવું પણ સૂચન કરાયું છે કે જ્યાં સુધી આવો કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી
કેન્દ્ર સરકાર ઉપલબ્ધ માધ્યમો દ્વારા આવા મુદ્દા માટે ઝુંબેશ ચલાવે, લોકોને જાગૃત કરે. મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયની આ ચિંતા સાવ અસ્થાને નથી.
બાળકો સોશિયલ સાઈટ્સ, એપ્સનો ઉપયોગ એક માત્રાથી વધારે કરે તો તેમના મનોવલણ ઉપર અસર
થઈ શકે. હિંસા અને જાતીયતાનું પ્રમાણ વઘારે હોય તેવી સામગ્રી બાળ કે કિશોર વયે નુકસાનકારક
જ છે. અહીં અભિવ્યક્તિ સ્વતંત્રતાનો મુદ્દો આવે નહીં.
બાળકો-િવદ્યાર્થીઓ
અભ્યાસ માટે, વિવિધ સંદર્ભો માટે પણ સોશિયલ
સાઈટ્સનો- ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટ કે તેના માધ્યમથી ઉપલબ્ધ બાબતો ઉપયોગી
પણ છે જ. ટેક્નોલોજી, આધુનિકતાનો ક્યારેય આંધળો વિરોધ ન હોય પરંતુ નિયમનની તો જરૂર
ખરી. અહીં મદ્રાસ હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનું કહ્યું છે. તે કામ તેના
સમયે થશે પરંતુ ઘરમાં તો માતા પિતા સરકાર છે. સૌથી પહેલાં તેઓ પોતે સોશિયલ મીડિયાના
ઉપયોગ ઉપર સ્વયં નિયંત્રણ મૂકે પછી તેઓ પોતાના સંતાનોને આ બાબતે કંઈક કહી શકે. સંસદમાં
કાયદો આવશે ત્યારે આવશે પરંતુ આ સમસ્યાના અંતની શરૂઆત ઘરેથી જ થશે. અહીં ક્યાંય ટેક્નોલોજી
કે સોશિયલ મીડિયા માટેની નકારાત્મકતા નથી. નકાર અને નિયંત્રણમાં ફેર છે.