• રવિવાર, 08 માર્ચ, 2026

avshan nodh

દશા સોરઠિયા વણિક લાભુબેન ધ્રુવનું અવસાન, આજે પ્રાર્થનાસભા

રાજકોટ: દશા સોરઠિયા વણિક, લાભુબેન જસવંતરાય ભટ્ટ (ઉં.93) તે સ્વ.જસવંતરાય લાધાભાઈ ધ્રુવના પત્ની, નિલેશભાઈ, રામચંદ્રભાઈ, કુસુમબેન કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, પ્રતિભાબેન દિલીપકુમાર ધ્રુવ, સ્વ.હસુબેન સતીશકુમાર શેઠ, સ્વ.કલ્પનાબેન કૌશિકકુમાર કોઠારીના માતા, સ્વ.કુરજીભાઈ મેઘજીભાઈ કુલરના દીકરી, સ્વ.હરિલાલ, સ્વ.મણીલાલ, સ્વ.દુર્લભજીભાઈ, સ્વ.નર્મદાબેનના બહેન, સ્મીતાબેન, જાગૃતિબેનના સાસુ, રાજન, ભવ્ય, પૂજા તથા નિધિના દાદીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ને શનિવારે સાંજે 4-30થી 6 દરમિયાન રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

 

 

 

ચક્ષુદાન, સ્કીન ડોનેશન

રાજકોટ: હાર્દિકભાઇ બીપીનચંદ્ર વ્યાસનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 819 મું ચક્ષુદાન અને 48મું સ્કીન ડોનેશન થયું છે.

રાજકોટ: મુ. રાજના ધનાળા, હાલ રાજકોટ મયુરસિંહ ગુમાનસિંહ ઝાલાના પત્ની, રીટાબા (ઉં.61) તે દિવ્યરાજસિંહના માતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું: તા.9ના સાંજે 4થી 6  આદ્યશક્તિ માતાજીનું મંદિર, ગરબી ચોક, ઉદયનગર-1, મવડી મેઇન રોડ, રાજકોટ છે.

રાજકોટ: પ્રભાબેન શાંતિલાલ બલદેવ (ઉં.87)તે શાંતિલાલ બલદેવના પત્ની, સ્વ. મોહનલાલ શામજી વસાણી (અમરેલી)ના પુત્રી, કમલેશભાઇ, દિલીપભાઇ, ડો. અલ્કાબેન ભરતભાઇ ઠક્કર, નીલાબેન વિનયભાઇ સુચક, આરતીબેન ભરતકુમાર, નંદાણીના માતાનું તા.6ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું : પિયરપક્ષની સાદડી તા.9ના બપોરે 3થી 6 છે. મો.નં. 92654 98187/ 93771 39936/ 99090 10006.

રાજકોટ: મૂળ ઘોઘાવદર નિવાસી હાલ રાજકોટ કનૈયાલાલ વિઠ્ઠલદાસ જોબનપુત્રા (કનુભાઇ ઠક્કર) (ઉ.85) તે દિપક જોબનપુત્રા, ગિરીશ જોબનપુત્રા, રેખાબેન જયેશકુમાર સોમૈયા (રાજકોટ)ના પિતા, સ્વ. દલસુખભાઇ, કાંતિભાઇ, વિનુભાઇ, દિનેશભાઇ જોબનપુત્રાના મોટાભાઇ, પ્રણવ તથા ભાર્ગવના દાદા, સ્વ. હરિલાલ પ્રેમજી સચદે (ચરખડી)ના જમાઇનું તા.6ને શુક્રવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9ને સોમવારે સાંજે 5 થી 6 કલાકે અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા સર્કલ પાસે, 150 રીંગ રોડ, નેત્રદિપ હોસ્પિટલવાળી શેરી, રાજકોટ છે.

ઢાંક: ભાયાવદર નિવાસી સ્વ. ડો. ભીમગિરી ગોસાઇના પત્ની મંગળાબેન (ઉ.99) તે હરેન્દ્રગિરી તે ડો. તનસુખગિરી (ભાણવડ), રાજેશગિરી, ભરતગિરીના માતાનું તા.2ના અવસાન થયું છે. શ્રધ્ધાંજલી, પ્રાર્થના સભા, ધર્મસભા તા.8ને રવિવારે સવારે 10 કલાકે પટેલ સમાજ, સરકારી દવાખાના સામે, ભાયાવદર ખાતે યોજાશે.

મોટા સમઢીયાળા: દેસાઇ હાઇસ્કૂલના નિવૃત હેડ કલાર્ક અરવિંદભાઇ કાલાવડીયા, જીઇબી સાવરકુંડલા ટાઉનના આસિ. લાઇન મેન પરેશભાઇ, અશોકભાઇ, ભરતભાઇ, પ્રવિણભાઇના પિતા, બાલુભાઇ ભીખાભાઇ કાલાવડીયાનું તા.4ના અવસાન થયું છે.

જામનગર: સિક્કા નિવાસી દિલીપભાઇ પરસોતમભાઇ કુંડલીયા, તે પ્રફુલભાઇ, સ્વ. મનોજભાઇના ભાઇ, ભાવિન, અંકિતાના પિતા, પર્વના નાનાનું તા.5ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.7ના સાંજે 4-30 થી 5-30 દરમિયાન મહાદેવ મંદિર, ગૌશાળાની બાજુમાં, સિક્કા છે.

જામનગર: હાલ રાજકોટ, ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. ફુલચંદ ઉમીયાશંકર ત્રવાડી (ત્રવાડી ઉમીયાશંકર કાલીદાસ મીઠાઇવાલા)ના  પુત્ર, જગદીશચંદ્ર, તે કિશોરભાઇ, રંજનબેન, રજનીભાઇ, અશોકભાઇ, જયેન્દ્રબેનના ભાઇ, અવંતિકાબેનના પતિ, ધવલભાઇ, ભાર્ગવીબેનના પિતા, રાજેશકુમાર જાની, રિદ્વિબેનના સસરાનું અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7ના સાંજે 4 થી 4-30 દરમિયાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

વિસાવદર: લાલાણી રમાબેન લક્ષ્મીશંકરભાઇ (ઉ.80) તે હર્ષાબેન ગૌરીશંકર જોશી (પોરબંદર), દક્ષાબેન નટવરલાલ બોરીસાગર (અમરેલી), પ્રજ્ઞાબેન, પુનમબેન પિયુષકુમાર જાની (રાજુલા), પ્રીતિબેન દીપકભાઇ તથા પ્રકાશભાઇના માતા, સ્વ. ભાઇશંકરભાઇ રામજીભાઇ લાલાણી, પ્રવિણભાઇ, પ્રમોદભાઇના ભાભીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના 4 થી 6 આનંદ પાર્ક, સોસાયટી જીઇબી ઓફિસ રોડ ખાતે છે.

રાજકોટ: ડો. સંજયભાઇ બાલકૃષ્ણભાઇ વખારીયા (ઉ.53) તે ઇન્દીરાબેન બાલકૃષ્ણભાઇ વખારીયાના પુત્ર, પ્રેમ સંજયભાઇ વખારીયાના પિતા, અમિતભાઇ, ભાવેશભાઇ વખારીયાના ભાઇ, અશોકભાઇ અને  ગીરીશભાઇ ગોરસીયા (ફૂલછાબ પ્રેસ)ના ભાણેજ, પ્રવિણભાઇ દોશી (જેતપુર)ના જમાઇનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7ને શનિવાર સાંજે 4 થી 6 નાગર બોર્ડીગ, વિરાણી હાઇસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ છે.

રાજકોટ: વિરપુર (જલારામ) નિવાસી, હાલ રાજકોટ, સ્વ. દયાળજી ગોરધનદાસ ગંદાના પૌત્ર, સ્વ. જગજીવન દયાળજી ગંદાના જયેષ્ઠ પુત્ર, મહેન્દ્રભાઇ (મહેશભાઇ) (સદગુરૂ ઇન્ફોવર્ડ) (ઉ.75) તે ભારતીબેનના પતિ, સાગરભાઇ, વિભુબેનના પિતા, સ્મિતાબેનના સસરા, દ્રષ્ટિ અને શિવમનાં દાદા, ઇન્દુબેન મુકુંદરાય ઉનડકટ,  સુરેશભાઇ, પ્રફુલભાઇ, સ્વ. હસુભાઇ, વિનુભાઇના ભાઇ, વલ્લભદાસ વિઠ્ઠલદાસ ચંદારાણા (બાબરાવાળા)ના જમાઇનું  તા.5ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી, તા.7ના 5 થી 6 પંચનાથ મહાદેવ મંદિરે છે.

સાવરકુંડલા: મૂળ અમરેલી નિવાસી હાલ સાવરકુંડલા સ્વ. કોંઢીયા વસંતરાય અંબાવીદાસના  પુત્ર, સત્યમની પુત્રી કેસર (ઉ.8)નું તા.6ના અવસાન થયું છે. બેસણું: તા.7ના સાંજે 4 થી 6 “ગોકુલ’’ કંડોળીયા શેરી, ગાંધી ચોક, સાવરકુંડલા છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય વસંતલાલ બચુલાલ આશરા (ઉ.58) તે અશ્વિનભાઇના ભાઇ, સંજયભાઇ જગજીવનદાસ વલેરાના મોટાભાઇ, મહીમા, બ્રેનજીના પિતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું: તા.7નાં સાંજે 5 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. સોની નાનાલાલ લાલજીભાઇ પારેખ (ટંકારા વાળા) હાલ રાજકોટના પત્ની શારદાબેન (ઉ.90) તે રજનીભાઇ, ભરતભાઇ, જયંતભાઇ, મહેશભાઇ, દિનેશભાઇ, ચંદ્રેશભાઇ, ઇન્દુબેન, ઇલાબેનના માતા, વિરપરડા વાળા, સોની ડાયાલાલ નરભેરામ પાટડીયા હાલ રાજકોટના દીકરીનું તા.6ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.7ના 4 થી 5-30 પારેખ વાડી, ખત્રીવાડ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026