• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

મારી હત્યા થાય તો IPS પાંડિયન જવાબદાર : જિજ્ઞેશ મેવાણી

વડગામના ધારાસભ્ય મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આરોપ લગાવ્યા

અમદાવાદ, તા.21: વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઈંઙજ અધિકારી રાજકુમાર પાંડિયનને લઈને ફરી એક વખત મોટો આરોપ લગાવ્યો છે. જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, મારી હત્યા થાય તો આઈપીએસ પાંડિયન જવાબદાર હશે.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ‘બાબા સિદ્દીકીની જેમ જો મારી કે મારા પરિવારજનોની અથવા મારી ટીમના સાથીમાંથી કોઈની પણ હત્યા થાય છે તો તેના માટે માત્ર અને માત્ર આઈપીએસ રાજકુમાર પાંડિયન જવાબદાર હશે. ફેક એન્કાઉન્ટર કેસમાં 7 વર્ષ જેલની સજા કાપી ચૂકેલા આ અધિકારીના ચરિત્રને આખુ ગુજરાત ઓળખે છે પછી કંઈ પણ થઈ જાય, હું ગુજરાત અને દેશના દલિત-પછાત અને બહુજનના આત્મ-સન્માનની લડાઈ ક્યારેય નહીં છોડું.’’

 

ઇ-પેપરના નવા શુલ્ક