• બુધવાર, 21 મે, 2025

‘નાગરિકોના પ્રશ્નોને વાચા આપી શકે તેને કોંગ્રેસ વિસાવદરની ટિકિટ આપશે’

જૂનાગઢ કોંગ્રેસના નવસર્જન અભિયાન અંતર્ગત પદાધિકારીઓ હવે પ્રજાની પસંદગીના બનશે : રાષ્ટ્રીય મહાસચિવ ધિરજલાલ ગુર્જર

જુનાગઢ, તા.25:  દેશભરમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ‘સંગઠન નવસર્જન અભિયાન’ અંતર્ગત આજે જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી તેમા સંગઠનના નવા માળખા સાથે પુન:ગઠન કરવા પ્રભારી તરીકે  રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી અને ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ધીરજલાલ ગુર્જરને જવાબદારી સોંપવામાં આવી છે. નવસર્જન અભિયાન હેઠળ તેમણે આજે જૂનાગઢ જિલ્લામાં વિવિધ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘આ અભિયાનનો મુખ્ય હેતુ સંગઠનના નિર્ણયો હવે દિલ્હીની ચેમ્બરોમાં નહીં પણ જમીન સ્તરે કાર્યકર્તાઓના મનના અવાજ પ્રમાણે લેવાશે. પ્રદેશ પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષોની નિમણૂક કાર્યકર્તાઓ સાથે સંવાદ બાદ જ કરવામાં આવશે.’ બેઠકમાં  વિધાનસભા પેટા ચૂંટણી તથા ભવિષ્યની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ધીરજ ગુર્જરે સ્પષ્ટપણે કહ્યું કે વિસાવદર વિધાનસભાની આવનારી પેટા ચૂંટણી માટે એવા ઉમેદવારને ટિકિટ અપાશે, જે નાગરિકોની માગને મંચ પર અવાજ આપી શકે અને તેમના પ્રશ્નોનું નિવારણ લાવવામાં સક્ષમ હોય.

કોંગ્રેસ આગામી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તૈયાર છે અને આવતીકાલે વિસાવદર વિસ્તારની મુલાકાત લઈ કાર્યકરો સાથે બેઠક યોજી વધુ ચર્ચા કરવામાં  આવશે. આ સંપૂર્ણ અભિયાનનો ધ્યેય છે. કોંગ્રેસના મૂળભૂત ઢાંચાને ફરીથી જીવંત કરવો અને સંગઠનને ખેડૂતો, મજૂરો, યુવાઓ અને તમામ વર્ગોના પ્રશ્નો સાથે સાંકળવાનો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક