ભાવનગર, તા.13: ભાવનગર જિલ્લાના
મહુવામાં ગુરુવારની મોડી રાત્રીના ત્રણ વાગ્યે ધરતીકંપ આંચકો નોંધાયો હતો. મળતી માહિતી
મુજબ ગુરુવારની મોટી રાત્રીના ત્રણ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપ 3.1ની
તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર બિંદુ મહુવાથી 23 કિ.મી. દૂર નોંધાયું હોવાનું જાણવા
મળેલું છે. ઘણા લાંબા સમય બાદ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભૂકંપ અંગે ચર્ચા જાગી
હતી.