• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

અમદાવાદમાં RTO સર્કલ નજીક રૂ. 13.50 લાખની લૂંટ

પોલીસે સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ગેંગની વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી

અમદાવાદ, તા. 10: અમદાવાદના આરટીઓ સર્કલ નજીક ચિમન પટેલ બ્રીજ પાસે લૂંટની ઘટના સર્જાઈ હતી. રીક્ષામાં દંપતિને આંતરીને લુટારુઓ રૂપિયા 13.56 લાખની મતા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ગેંગની વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સાબરમતીમાં આવેલા જવાહર ચોક સ્થિત આરાધના સોસાયટીમાં રહેતા રમેશભાઇ જૈનના સુરત  ખાતે રહેતા મોટાભાઇ ગૌતમચંદની પુત્રીના લગ્ન  આગામી જુન મહિનામાં હોવાથી તેને આપવા માટે દાગીના ખરીદવા હોવાથી તેમની પાસે રહેલા સોનાના ત્રણ બિસ્કિટ, સોનાની ચેઇન સહિતના દાગીના લઇને સુરત ગયા હતા જ્યાંથી ગત 6 એપ્રિલના રોજ મુંબઇ ગયા હતા.  ઝવેરી બઝારમાં સોનાના  બે બિસ્કિટ આપીને કડુ, મગળ સુત્ર, સોનાની ચેઇન, અને વીંટી, તેમજ ઘડીયાળની ખરીદી કરી હતી ત્યારબાદ મંગળવારે રમેશભાઇ અને તેમના પત્ની પુષ્પાબેન મુંબઇથી અમદાવાદ ટ્રેનમાં બેસીને બુધવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા જ્યાંથી બન્ને એક રિક્ષામાં બેસીને સાબરમતી પોતાના ઘરે જતા હતા, ત્યારે સોનાના દાગીના, રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા 13.56 લાખની મતા ભરેલું પર્સ પુષ્પાબેન પાસે હતું. સવારે પાંચ વાગ્યાના સુમારે રિક્ષા આરટીઓ સર્કલથી ચિમનભાઇ પટેલ બ્રીજ પર જતી હતી ત્યારે એક્ટિવા સ્કૂટર પર આવેલા બે યુવકોએ રીક્ષાને આંતરીને રોકી હતી અને પાસે આવીને પુષ્પાબેનના હાથમાંથી સોનાના દાગીના મળીને 13.56 લાખની મત્તા ભરેલુ પર્સ લૂંટને સાબરમતી તરફ નાસી ગયા હતા. જેથી તાત્કાલિક રમેશભાઇ જૈન અને તેમના પત્ની રીક્ષા લઇ રાણીપ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને  સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક