‘કાશ્મીર પાકનાં ગળાંની નસ’ તેવું સેનાવડા મુનીરે કહેતાં ભારતનો જવાબ
ઇસ્લામાબાદ,
તા. 17 : પાકિસ્તાને પાછો કાશ્મીરી રાગ આલાપતાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાક સૈન્ય
પ્રમુખ જનરલ અસીમ મુનીરે કહ્યું હતું કે, કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે અને રહેશે.
ભારતના વિદેશ મંત્રાલયે આકરાં વલણ સાથે જડબાંતોડ જવાબ આપતાં કહ્યું હતું કે, કાશ્મીર
ભારતનું અભિન્ન અંગ છે.
ભારતીય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાને પણ કબજાગ્રસ્ત
કાશ્મીર (પીઓકે) ખાલી કરવું પડશે.
પાકિસ્તાન
કાશ્મીરના લોકોનું સમર્થન કરતું રહેશે. ભારતની 13 લાખની સેના પાકને ડરાવી ન શકી, તો
કેટલાક આતંકવાદીઓ શું બગાડી લેશે, તેવું જનરલ મુનીરે કહ્યું હતું.
પાક
સેનાના વડાનાં આવાં આક્રમક વલણથી ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલાંથી પ્રવર્તતી તાણ વધુ
વકરી શકે છે. બંને દેશના સંબંધોમાં કાશ્મીર એક સંવેદનશીલ અને વિવાદાસ્પદ વિષય રહ્યો
છે, ત્યારે આવી વિવાદાસર્જક નિવેદનબાજી કાશ્મીરના ઐતિહાસિક વિવાદને શાંતિથી ઉકેલવાના
પ્રયાસોમાં વિઘ્ન સર્જી શકે છે.
ભારતે
2019માં કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ દૂર કરી દીધા બાદ પાકનું પેટ દુ:ખતાં ઘણા પગ-માથા
પછાડયા હતા.
જો
કે, ભારતે સ્પષ્ટ કહી દીધું હતું કે, કાશ્મીર અમારો આંતરિક મામલો છે, પાકિસ્તાન તેમાં
માથું ન મારે.
આવી
ચેતવણી છતાં આતંકપરસ્ત દેશે વૈશ્વિક મંચો પર વારંવાર કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, પરંતુ
દર વખતે હારવું પડયું છે.
---------------
અમે
હિન્દુઓથી અલગ: પાક. આર્મી ચીફે ઝેર ઓક્યું
ઈસ્લામાબાદ,
તા.17 : પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત ખાસ કરીને વિરોધી ઝેર ઓકતા કહ્યું
છે કે અમે હિન્દુઓથી અલગ છીએ અને કલમાના પાયા ઉપર પાકિસ્તાન બન્યું છે.
આર્મી
ચીફે ઓવરસીઝ પાકિસ્તાનીઓને સંબોધનમાં વિચારધારાની વાત કરતાં કહ્યું કે હિન્દુ ધર્મ
પ્રત્યે નફરત દર્શાવી અને કહ્યંy કે અમારા પૂર્વજોએ વિચાર્યુ કે આપણે જીવનના દરેક સંભવ
બાબતોમાં હિન્દુઓથી અલગ છીએ. આપણાં ધર્મ અલગ છે, રિતરિવાજ અલગ છે, પરંપરાઓ અલગ છે,
વિચારઅલગ છે, મહત્ત્વકાંક્ષા અલગ છે. અહીંથી જ બે રાષ્ટ્રના સિદ્ધાંતનો પાયો નંખાયો.
આપણે બે રાષ્ટ્ર છીએ, એક રાષ્ટ્ર નથી. ભાગલાની વાત કરતાં કહ્યું કે પાકિસ્તાનની કહાની
તમારા બાળકોને જરૂર જણાવજો જેથી તેઓ પાકિસ્તાનની કહાની ન ભૂલે. જનરલ મુનીરે આવી વાત
કરી ત્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફ સંમેલનમાં હાજર હતા.