અયોધ્યા, તા. 27 : શ્રી રામ નવમીના અવસરેલ પીએમ મોદીએ ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી. તેમણે અયોધ્યાના રામ મંદિરમાં સૂર્ય તિલક સમારોહમાં વચ્યૂઅલ રૂપથી ભાગ લીધો હતો. શુક્રવારે બપોરે 12 વાગ્યે ભગવાન સૂર્યએ રામલલાના લલાટે તિલક કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ રામલલાને હાથ જોડીને નમન કર્યા હતા. અયોધ્યામાં રામ નવમી ઉપર ભક્તોની ભારે ભીડ રહી હતી. સવારે નવ વાગ્યાથી મોટી સંખ્યામાં લોકોએ સરયૂ નદીમાં સ્નાન કર્યું હતું.