વડાપ્રધાન
મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠકમાં પહલગામ હુમલાની જવાબી કાર્યવાહીમાં પાંચ મોટા
નિર્ણય : આજે સર્વપક્ષીય બેઠક
સિંધુ
જળ સંધિ રદ
પાકિસ્તાનીઓને
ભારતમાં નો-એન્ટ્રી, ભારતમાં હોય તેમને નીકળવા માટે 48 કલાકનો સમય
અટારી
બોર્ડર ચેકપોસ્ટ બંધ
પાક.નાં
તમામ સૈન્ય સલાહકારોને દેશ છોડવા કહેવાયું, ભારતે પોતાનાં સલાહકારોને પાક.થી પરત બોલાવ્યા
દૂતાવાસોમાં
રાજદ્વારીની સંખ્યા ઘટાડીને 30 કરાઈ
નવી
દિલ્હી, તા. 23 : પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓનો સંહાર કર્યા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન
અને આતંકવાદ વિરુદ્ધ ફિટકાર અને ધિક્કાર ભભૂકી ઉઠયો છે ત્યારે સરકાર પણ આ જઘન્ય હુમલાનો
તાબડતોબ અને જડબાતોડ જવાબ આપવા માટે સક્રિય બની ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી
અમિત શાહ અને રક્ષામંત્રીએ તાબડતોબ ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને આતંકવાદને પોષતા પાકિસ્તાનને
સબક આપવા આક્રમક પગલાઓ લેવા માટે નિર્ણયો કર્યા હતાં. જેમાં ભિખારી પાકિસ્તાનને મરણતોલ
આર્થિક ફટકા સમાન પગલામાં સિંધુ જળ સંધિ ભારતે
સ્થગિત કરી દીધી છે. જેનાંથી પાક.ની હાલત તરસ્યા મરવા સમાન થવાની છે કારણ કે
પાક.ની ખેતી અને અર્થતંત્ર વ્યાપક સ્તરે આ સંધિ હેઠળ મળતાં પાણી ઉપર નિર્ભર છે. સરકાર
તરફથી જાહેર કરવામાં આવેલા કુલ પાંચ પગલામાં પાક. નાગરિકોનાં વિઝા પણ રદ કરી નાખવામાં
આવ્યાં છે એટલે કે પાકિસ્તાનીઓ માટે ભારતમાં હવે નો-એન્ટ્રી થઈ ગઈ છે. ભારતમાં પાક.
દૂતાવાસ પણ બંધ કરાશે. 48 કલાકમાં જ પાક. રાજદ્વારીઓને ભારત છોડવા કહી દેવામાં આવ્યું
છે. આ સીવાય અટારી બોર્ડર ચેકપોસ્ટ પણ બંધ કરી નાખવામાં આવી છે.
અમિત
શાહ મંગળવારે જ કાશ્મીર પહોંચી ગયા હતા. જ્યારે પીએમ મોદીએ પણ પોતાનો સાઉદીનો પ્રવાસ
ટૂંકાવીને ભારત પહોંચતા જ એક હાઈલેવલની બેઠક બોલાવી હતી. વડાપ્રધાન આવાસે યોજાયેલી
સીસીએસની આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ સચિવ સામેલ
થયા હતા. બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને રણનીતિઓ ઉપર અઢી
કલાકથી વધુ સમય સુધી વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાકિસ્તાનન ઉપર સિંધુ
જળસંધિ તોડીને આર્થિક પ્રહાર કરવા સાથે રાજદ્વારી સંબંધો પણ તોડી નાખવામાં આવ્યા છે.
વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી સીસીએસની બેઠક બાદ વિદેશ મંત્રાલય તરફથી પાકિસ્તાન
સામે રાજદ્વારી કાર્યવાહીનાં નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં સિંધુ જળ સંધિ
અટકાવી દેવાનો નિર્ણય સૌથી મોટો હતો. આ સીવાય સાર્ક હેઠળ પાક. નાગરિકોને આપવામાં આવેલી
વિઝા છૂટ રદ કરી નાખવામાં આવી છે અને પાક. નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી જવા કહી
દેવામાં આવ્યું છે. તદુપરાંત ભારતમાંથી તમામ પાક. સૈન્ય સલાહકારોને પરત જવા માટે એક
સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. આ સાથે જ પોતાનાં સલાહકારોને પણ ભારતે પરત તેડાવી લીધા
છે. દૂતાવાસમાં ઉચ્ચાયુક્તોની સંખ્યા પણ ઘટાડીને 30 કરવાનો નિર્ણય લેવાયો છે.
આ સીવાય
સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. એટલે કે, ભારત હજી પણ વધુ આક્રમક કાર્યવાહી
કરે તેવી પૂરી શક્યતા છે. ભારતમાં ચાલી રહેલી હાઈલેવલ બેઠકો વચ્ચે પાકિસ્તાનને જવાબી
કાર્યવાહીનો ડર લાગી રહ્યો છે અને સરહદે દેખરેખ વધારી દીધી હતી. સુત્રો અનુસાર લાહોર,કરાચી,
રાવલપિંડી અને ઈસ્લામાબાદ જેવા પ્રમુખ શહેરોમાં હાઈએલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું.
પાકિસ્તાનને ડર છે કે ભારત સર્જીકલ સ્ટ્રાઈક કે એરસ્ટ્રાક જેવી કાર્યવાહી કરી શકે છે.
આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતને ડરાવી
શકાશે નહીં, જવાબદારોને જડબાતોડ જવાબ મળશે.
આતંકી
હુમલા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં વાયુસેના પ્રમુખ, એનએસએ ડોભાલ અને અન્ય
સૈન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરની બેઠક કરી હતી. આ બેઠકમાં વર્તમાન સ્થિતિ ઉપરાંત સીસીએસમાં પીએમ મોદી સામે કઈ વાત રાખવામાં આવશે
તેની ચર્ચા કરવામાં આવી હતી. પહલગામ હુમલા બાદ જો કોઈ મંત્રી સૌથી વધારે એક્શનમાં જોવા
મળ્યા હોય તો તેઓ ગૃહમંત્રી અમિત શાહ છે. પીએમ મોદીના એક ફોન ઉપર તેઓ કાશ્મીર જવા રવાના
થયા હતા. શ્રીનગરમાં જ તેઓએ પહેલી મોટી બેઠક કરી હતી. જેમાં સીએમ ઉમર અબ્દુલ્લાહ, એલજી
મનોજ સિન્હા હાજર હતા. બાદમાં અમિત શાહ બુધવારે પહલગામ પહોંચ્યા હતા. આ ઉપરાંત તેઓએ
પીડિતોની મુલાકાત કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.
પહલગામમાં
આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં દહેશત છે. સુત્રો અનુસાર ભારત તરફથી સંભવિત જવાબી કાર્યવાહીના
ડરે પાકિસ્તાને એરફોર્સને એલર્ટ ઉપર રાખ્યું છે. સાથે જ ભારત-પાકિસ્તાન સરહદે દેખરેખ
વધારી દીધી છે. પાકિસ્તાનને ડર છે કે ભારત કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે. આ દરમિયન
ભારતીય સેના અને વાયુસેનાએ પહેલા જ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને
એલઓસીએ ડ્રોન તેમજ અન્ય હવાઈ મોનિટરિંગ વધાર્યું છે. સેનાએ તમામ યુનિટ્સને એલર્ટ ઉપર
રાખ્યા છે.
પાકિસ્તાનની
સંદિગ્ધ સૈન્ય ગતિવિધિના દાવા પણ સામે આવ્યા છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ ઉપર ફલાઈટની
દેખરેખ કરતી વેબસાઈટ ફલાઈટરડારના ક્રીનશોટ્સ શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં પાકિસ્તાની
એરફોર્સના પ્રમુખ વિમાનોની અસામન્ય ગતિવિધિ
જોવા મળી રહી છે. દાવા અનુસાર કરાચી સ્થિત સાઉધર્ન એર કમાન્ડથી ઘણા વિમાન લાહોર અને
રાવલપિંડી પાસે ઉત્તરી છાવણી તરફ રવાના થયા છે. આ એરબેઝ ભારતની ઉત્તરી સરહદથી ખુબ જ
નજીક માનવામાં આવે છે. આ વિમાનોમાં સી-130ઈ હરક્યુલિસ અને ફીનોમ 100 જેટ સામેલ છે.