• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

એશિયામાં ભારતસિરાજ

એશિયાકપના ફાઇનલમાં સિરાજની ખૂંખાર બોલિંગ

સામે 50 રનમાં લંકાપતન:  ભારત 8મીવાર ચેમ્પિયન

            ફાઇનલમાં 10 વિકેટે સરળ વિજય: ટોસ જીતી દાવ લીધા બાદ શ્રીલંકા 1પ.ર ઓવરમાં

            પ0 રનમાં ઓલઆઉટ, 6.1 ઓવરમાં

            વિના વિકેટે પ1 રન બનાવી ભારત જીત્યું

કોલંબો, તા.17 : એશિયા કપ-ર0ર3ના ફાઇનલમાં પેસર મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી શ્રીલંકાનાં સૂપડાં સાફ કરી નાખતા ભારતે 10 વિકેટે સરળ વિજય મેળવ્યો છે. 1984માં પહેલા એશિયા કપમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું આમ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. રવિવારે એકતરફી મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ માત્ર 6.1 ઓવરમાં વિના વિકેટે પ1 રનનું લક્ષ્ય પાર પાડી ખિતાબ પોતાને નામ કર્યો હતો. ભારતે રેકોર્ડ 8મીવાર એશિયા કપ જીત્યો છે. આજે છઠ્ઠીવાર ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. એશિયા કપ વન ડે ફોર્મેટમાં ભારતનો શ્રીલંકા સામે આ 11મો વિજય હતો. સિરાજે ઝડપી પાંચ વિકેટ ખેડવવામાં શ્રીલંકાના પુર્વ પેસર ચામિંડા વાસના રેકોર્ડ (16 દડામાં પ વિકેટ)  ઉપરાંત 6 વિકેટ હૉલમાં ર008ના અજંતા મેંડિસના રેકોર્ડ (6/13) ની બરાબરી કરી હતી. વન ડેમાં ભારત વતી સૌથી શ્રેષ્ઠ બોલિંગમાં તે બિન્ની (6/4), કુંબલે (6/1ર), બુમરાહ (6/19) પછી ચોથા ક્રમે (ર1/6) રહયો છે. પહેલી 10 ઓવરમાં સર્વશ્રેષ્ઠ વન ડે બોલિંગ સરેરાશમાં તેણે ગ્લેન મૈકગ્રાથ (19.47) રેકોર્ડ (16.16) તોડયો હતો. ઉપરાંત વન ડે પાવર પ્લેમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ (પ/07) નો રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. સિરાજ પ્લેયર ઓય ધ મેચ અને કુલદીપ મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો.

બપોર બાદ કોલંબોમાં વરસાદનાં વિઘ્ન વચ્ચે મોડા શરૂ થયેલાં ફાઇનલમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ લીધા બાદ 1પ.ર ઓવરમાં પ0 રન બનાવી સમેટાઈ ગઈ હતી. ભારતીય બોલર મોહમ્મદ સિરાજે પુનરાગમન સાથે તરખાટ મચાવતા 6 અને હાર્દિક પંડયાએ 3 વિકેટ ઝડપી હતી એક વિકેટ બુમરાહે ખેડવી. શ્રીલંકાના ધબડકામાં વિકેટકિપર બેટર કુસલ મેંડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા જયારે દુશાન હેમંથાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય શ્રીલંકાનો કોઈ ખેલાડી ટકી શકયો ન હતો. પાંચ ખેલાડી શૂન્ય પર આઉટ થયા હતા, જેમાં સુકાની શનાકા પણ હતો. માત્ર 1ર રનમાં જ શ્રીલંકાની 6 વિકેડ ડૂલ થઈ અને 33ના સ્કોરે ટોચના 7 ખેલાડી પેવેલિયન પરત ફર્યા હતા. 8 ઓવરમાં સ્કોર 6 વિકેટે 18 અને 1ર ઓવરમાં 7 વિકેટે 39 હતો. વન ડે ક્રિકેટમાં શ્રીલંકાએ ત્રીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. ભૂતકાળમાં બે વખત ટીમ 43 રનમાં સમેટાઈ હતી.

 

વન ડેમાં દડાના હિસાબે અને રન ચેઝના હિસાબે સૌથી મોટો વિજય ભારતે મેળવ્યો હતો. ભારતે ઓપનિંગમાં શુભમન ગિલ સાથે રોહિત શર્માના સ્થાને ઈશાન કિસનને તક આપી હતી. બન્નેએ ધૈર્યપૂર્ણ રમત દાખવી વિજય તરફ દોરી ગયા હતા. ઈશાન ર3 અને ગિલ ર7 રને અણનમ રહયો હતો. ભારતની ઇનિંગમાં કુલ 9 ચોગ્ગા લાગ્યા હતા. શ્રીલંકાએ 4 બોલર અજમાવ્યા પરંતુ ભારતની એક પણ વિકેટ ખેડવી શક્યા ન હતા