ચક્ષુદાન
રાજકોટ:
મહેશદાન નટુભા ગઢવીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન,
દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 561મું ચક્ષુદાન થયું છે. આ ઓગસ્ટ મહિનામાં નવમું ચક્ષુદાન
થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન -સ્કીન ડોનેશન-દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન,
ઉમેશ મહેતા: 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
પોરબંદર:
રાજેશ્રીબેન (ઉં.66) તે કુરજી વાલજી એન્ડ કું. વાળા, ભગવાનજી કુરજી અમલાણીનાં પુત્રવધૂ
તથા હરીશભાઈનાં પત્ની તેમજ નિરવભાઈ અને મેઘલભાઈ પરાગભાઇ મજીઠિયાનાં માતુશ્રીનું તા.2ના
અવસાન થયું છે.
રાજકોટ:
રમાબેન તે ભાણવડ નિવાસી ગો.વા. મોહનલાલ નાથાલાલ તન્નાનાં પત્ની, પોરબંદર નિવાસી ગો.વા.
ગોરધનદાસ માધવજી કોટેચાનાં પુત્રી તેમજ લાખેસભાઈ, ભારતીબેન હિરેનકુમાર સૂચક, જોલીબેન
કુમારભાઈ પુજારા, નિશાબેન બલરામભાઈ લાખાણી, અલ્પાબેન જીજ્ઞેશભાઈ ચેતવાણીનાં માતુશ્રી
તેમજ નીવ અને પલકનાં દાદીનું તા.2ને સોમવારે અવસાન થયું છે. અંતિમયાત્રા તા.3ને મંગળવારે
સવારે 9 વાગ્યે તોરલ એપાર્ટમેન્ટ રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી નીકળશે.
કાલાવડ:
શાંતાબેન તે રમેશચંદ્ર રૂગનાથભાઈ ગરાચના પત્ની, ગિરીશભાઈ, વિજયભાઈ, શૈલેષભાઈ, ચેતનભાઈ
અને હર્ષાબેનનાં માતુશ્રીનું તા.2ને સોમવારે અવસાન થયું છે.
બગસરા:
હર્ષદભાઈ રમણીકલાલ જોશી (અનીડા વાળા) (ઉં.60)તે રસિકભાઇ કાંતિલાલ ઠાકર (સુડાવડ વાળા)
તેમજ સ્વ. ચંદુભાઈ, બાલુભાઈ, રમેશભાઇ, રાજુભાઈ, પ્રવીણભાઇના બનેવી તેમજ અનુબેન કાંતિલાલ
ઠાકર, ગં. સ્વ. લાભુબેન કાંતિલાલ ઠાકરના જમાઇ અને ગીતાબેનના પતિ, અક્ષય અને ગાયત્રીબેનના
પિતાનું તા.2ના અવસાન થયું છે. બેસણું તા.6ને શુક્રવારે બપોરે 4થી 6 સુડાવડ મુકામે
કાંતિભાઈના નિવાસસ્થાન ખોડિયાર મંદિર સામે છે.
સાવરકુંડલા:
રામજીભાઇ ભીખાભાઇ વેગડા (ઉં.75)તે દીપકભાઇ તથા ભાવેશભાઇના પિતાનું તા.31ના રોજ અવસાન
થયું છે.