• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ક્ષત્રિય સમાજના અગ્રણી પ્રવીણસિંહ જાડેજાને અંજલિ અર્પતા પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટ, તા.10: રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી, ભાજપના વરિષ્ઠ અગ્રણી, ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રવીણસિંહ જાડેજાને હૃદયપૂર્વક ભાવાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું હતું કે, પ્રવીણસિંહજી જાડેજા (સોળિયા)ના દુ:ખદ અવસાનના સમાચાર સાંભળી દુ:ખી થયો છું. જેમણે જીવનપર્યંત સમાજ માટે જ વિચાર્યું અને કામ કર્યું, મને યાદ છે, હજુ ગયા વર્ષે જ હરભમજી છાત્રાલય ખાતે મિટિંગમાં પોતે આવ્યા હતા. મેં કહ્યું આટલી ઉંમરે આપે આવવું ના જોઈએ. જવાબ મળ્યો, જીવીશ ત્યાં સુધી આવીશ કામ કરીશ. પવિત્ર આત્માને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.

 રાજકોટ: મૂળ ગામ આણંદપુરવાળા હાલ રાજકોટ જયસુખભાઈ શાંતિભાઈ સતિકુંવર (ઉં.69) તે કોકિલાબેનના પતિ, તે સમીરભાઈ, હાર્દિકભાઈના પિતાશ્રી, તે નેહાબેનના સસરા, તે જેન્તીભાઈ, મનુભાઈના નાનાભાઈ, તે નીતિનભાઈ, જીતેશભાઈના મોટાભાઈ, તે હંસાબેન, જયશ્રીબેન, ઉષાબેનના ભાઈ, તે દિયા, ટીયાના દાદા, તે સોની ઓધવજીભાઈ કાનજીભાઈ સાગર (સીલ)ના જમાઈનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સાંજે 4થી 6, ભગવાન ભુવન વાડી, પંચનાથ પ્લોટ શેરી નં.1, રાજકોટ છે.

રાજકોટ: શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ધ્રાફા હાલ રાજકોટ કનકરાય મણીશંકર દવે (ઉં.77) તે અમિતભાઈ (મનપાના ફાયર ઓફીસર), બીનાબેનના પિતાશ્રી, તે મિતેષકુમાર રવિભાઈ ભટ્ટના સસરા, તે સ્વ.રમણીકભાઈના નાનાભાઈ, તે સુરેશભાઈના મોટાભાઈ, તે મીઠાપુરવાળા સ્વ.નાનાલાલ, દુર્ગાશંકર તથા ચંદુલાલ મહાશંકર પંડયાના ભાણેજનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું, સાદડી તા.13ના સાંજે 4-30થી 5-30, અલ્કેશ્વર મહાદેવ મંદિર, રૈયા રોડ, સદ્ગુરુ કોમ્પલેક્સ પાછળ, અલ્કાપુરી મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: અમરેલી નિવાસી હાલ રાજકોટ સ્વ.હરીલાલ ડી.પંડયાના પત્ની તેમજ તરૂણભાઈ, નીતાબેન પી.રાવલ (મુંબઈ)ના માતુશ્રી હંસાબેન (ઉં.86)નું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6, હેમજીત એપાર્ટમેન્ટ, મીલપરા-6, સી-3 સેકન્ડ ફ્લોર, રાજકોટ છે.

બોટાદ: ઔદિચ્ય સહત્ર સાડા ચારસો બ્રાહ્મણ જયપ્રકાશભાઈ મણિલાલ દવે તે સીતાબેનના પતિ, તે સ્વ.િદનકરભાઈ, બુદ્ધદેવના નાનાભાઈ, તે સુશાંત, હેતલબેન પ્રવિણકુમાર જાની (સકવાડા), શિવાની કિરીટકુમાર રાવલ (ભાવનગર)ના પિતાશ્રી અને કાજલના સસરા, તે આયાન્સ, માધવ, માહિ, કાવ્યા, હેત્વીના દાદાનું તા.9ના અવસાન થયું છે. સાદડી તા.12ના સાંજે 4થી 6, રમાવાડી, સિંધુનગર, ભાવનગર ખાતે છે.

રાજકોટ: પલ્લવી હર્ષદ ગાંધી (ઉં.74) તે હર્ષદ વલમજી ગાંધી (એસબીઆઈ)(વાંકાનેર)ના પત્ની, તે તન્વી જય મહેતા, રૂચિ કૃણાલ દોશીના માતુશ્રી, તે સ્વ.જીવણલાલ દુર્લભજી સંઘાણી (ગોંડલ)ના પુત્રી, તે સ્વ.વલમજી ત્રિભોવનભાઈ ગાંધી (વાંકાનેર)ના પુત્રવધૂ, તે અશ્વિનભાઈ સંઘાણી, ચંદ્રિકાબેન ધોળિયાના બેનનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સવારે 11-15 વાગ્યે, પ્રાર્થનાસભા તા.12ના સવારે 11-45 વાગ્યે નેમીનાથ વિતરાગ ઉપાશ્રય, 94/95, નેમીનાથ વિતરાગ સોસાયટી, રૈયા રોડ, રાજકોટ છે.

પોરબંદર: નિર્મળાબેન વૃન્દાવન ધામેચા (ઉં.80) તે સ્વ.િદલીપભાઈ ધામેચા (િનર્ણાયક સાપ્તાહિક)ના માતુશ્રી, તે હિરેનભાઈ, સન્નીભાઈ કિરીટભાઈ ધામેચાના ભાભુ, તે ભરતભાઈ મથુરાદાસ કોટેચાના માસીનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.12ના 4-15થી 4-15, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે.

જામનગર: ધનવંતરાય પાનાચંદ મહેતા (ઉં.82) તે સ્વ.પાનાચંદ અમરચંદ મહેતાના પુત્ર, તે અનસુયાબેનના પતિ, તે હેમંતલાલ, ધૈર્યકાંત, પ્રવિણાબેન દિનેશકુમાર શાહ, મીનાબેન નલિનકુમાર કામદાર (વડોદશ્રા)ના ભાઈ, તે સી.એ.જયદીપભાઈ મહેતા, કલ્પનાબેન દિવ્યેશકુમાર દોશી, બિંદુબેન યતીનકુમાર દોશીના પિતાશ્રી, તે રીનાબેનના સસરાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સવારે 9થી 9-30, પ્રાર્થનાસભા સવારે 10-30થી બપોરે 12-30, કામદારવાડી, અંબર સિનેમાની બાજુમાં, જામનગર છે.

રાજકોટ: લવજીભાઈ કાનાભાઈ વસોયા (ઉં.86) તે રડીયાતબેનના પતિ, તે નાનજીભાઈ, શિવાભાઈના નાનાભાઈ, તે કિશોરભાઈ, મંજુબેન, છગનભાઈ, જસવંતીબેનના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, સર્વેશ્વર મહાદેવ મંદિર, મિલાપનગર મેઈન રોડ, ઇનોવેટિવ સ્કૂલની સામે, યુનિ.રોડ, રાજકોટ છે.

સાવરકુંડલા: વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી તથા મુકેશભાઈ પાંધીનાં માતુશ્રી શારદાબેન હરગોવિંદભાઈ પાંધીનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.12ના 4થી 6, સાટોડીપરા ચલાલા ખાતે રાખેલ છે. ગં.સ્વ.શારદાબેન હરગોવિંદભાઈ પાંધી તેમના બે પુત્ર બિપીનભાઈ પાંધી, મુકેશભાઈ પાંધી, પુત્રીઓ સોનલબેન, રૂપલબેન, આરતીબેનને વિલાપ કરતા છોડી ગયા છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગીતાબેન વ્રજલાલ વ્યાસ (ઉં.82) તે નીતિનભાઈ, વિપુલભાઈનાં માતુશ્રી, તે ચીમનભાઈ વ્યાસનાં ભાભીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6, ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તથા તા.14ના સાંજે 4થી 6, બ્રહ્મેશ્વર મંદિર, બ્રાહ્મણ સોસાયટી, અમરેલી ખાતે છે. મો.નં.94274 91135, 92276 03510.

 

ઇ-પેપરના નવા શુલ્ક