• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: લીંબુડા નિવાસી હાલ રાજકોટ સ્વ.હસમુખરાય દુર્લભજી મોદીના પત્ની ઉષાબેન તે અલ્પેશભાઈ, રૂપલબેન દેસાઈના માતુશ્રી, તે મીરાબેન, અમિતભાઈના સાસુ, તે સુંદરજી કપૂરચંદ બાવીસીના દીકરીનું અવસાન થયું છે. સ્વર્ગસ્થના ચક્ષુનું ચક્ષુદાન કરેલ છે. ઉઠમણું-પ્રાર્થનાસભા તા.13ના સવારે 10થી 12, પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ, નિર્મલા રોડ, રાજકોટ છે.

ચક્ષુદાન

ધોરાજી: બહારપુરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ભાસ્કરનાં પુત્ર હાર્દીકભાઈનું ગણેશ વિસર્જન નિમિત્તે ભાદર નદીને કિનારે ઉભા હતા તે દરમ્યાન પગ લપસતા દુ:ખદ અવસાન થયુ હતું. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ દલીત સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા સંમતી આપતા ધોરાજી સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરનાં અધિક્ષક ડૉ.જયેશ વેસેટીયન, ડૉ.રાજ બેરા, ડૉ.િક્રષ્નાબેન મોરી સહિતની ટીમે ચક્ષુદાન સ્વિકાર્યુ હતું. આ તકે મુકેશભાઈ મંગાભાઈ ભાસ્કર, મીલનભાઈ ભાસ્કર, કિશનભાઈ ભાસ્કર, ડી.એલ.ભાષા, વિરેન્દ્રભાઈ રાઠોડ, યોગેશભાઈ ભાષા, નટવર બાબરીયા વગેરે ઉપસ્થિત હતાં.

રાજકોટ: વસુમતીબેન કોટક (ઉં.75) તે શરદભાઈ ગીરધરલાલ કોટક (મોરારજી મંગળજી વાળા)ના પત્ની, ચંદ્રકાંત, સંજયના માતુશ્રી, તીલક, જીયાના દાદી, સ્વ.ભોગીલાલભાઈ, સ્વ.પ્રવીણભાઈ, પરેશભાઈ, કમલેશભાઈના ભાભી, સ્વ.મૂળજી ખીમજી કારીયા (પોરબંદર)ના પુત્રી, મનુભાઈ, હરીશભાઈ, યોગેશભાઈ, પ્રવીણભાઈના બહેનનું તા.1રના અવસાન થયું છે. પ્રાર્થના સભા બેસણુ તા.13ના સાંજે 4.30થી 6 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ-રજપુરપરા, રાજકોટ છે.

રાજકોટ: મૂળ ચીભડા હાલ રાજકોટ પ્રભાબહેન અમુભાઈ ગોહેલ (ઉં.7ર) તે અમુભાઈ ડાયાભાઈ ગોહેલ (ઓપેરા હેર આર્ટ)નાં પત્ની, વિપુલભાઈ, શૈલેષભાઈના ભાભુ, જામનગરવાળા હરજીભાઈ રાઘવજીભાઈ ઝાલાનાં પુત્રી, કમલેશભાઈ બટુકભાઈ શીશાંગીયા (જામનગર)નાં સાસુનું તા.1રના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4.30થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

ગેંડલ: કિશોરભાઈ બાલુભાઈ ચાવડાના પત્ની કુસુમબેન (ઉં.64) તે કાળુભાઈના નાનાભાઈના પત્ની, દિનેશભાઈ, હરેશભાઈના ભાભી, જયદીપભાઈ કિશોરભાઈ ચાવડાના માતૃશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6 ખોડિયાર નગર, ખોડિયાર માતાજીના મંદિર પાસે, દિપાભાઈ ડિશવાળાની સામે, ગેંડલ ખાતે છે.

રાજકોટ: મૂળ સુલતાનપુર નિવાસી હાલ રાજકોટ જયસુખલાલ કરસનજીભાઈ બોરીસાગર (િનવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટર) (ઉં.70) તે રંજનબેનના પતિ, સમીરભાઈ, જીજ્ઞાસાબેનના પિતા, શાંતિભાઈ, ભાઈલાલભાઈ, નટુભાઈ, સ્વ.ચંદુભાઈ, ભરતભાઈ, ભગવતીબેનનાં ભાઈ, જીજ્ઞેશકુમાર, રૂપલબેનના સસરા, ભીખુભાઈ, ભાવનાબેન (વાપી), કુસુમબેન (ગાંધીનગર)ના બનેવીનું તા.1રના અવસાન થયું છે. બેસણુ તા.14ના 4થી 6 પોલીસ કોમ્યુનિટી હોલ, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે છે.

મોરબી: ઝાલા દશરથસિંહ અનોપસિંહ (ખેવારીયા)નું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.13ના સાંજે 4થી 6.30 જીવન જ્યોત સોસાયટી, નવનિર્માણ સ્કૂલ બાજુમાં, ગાયત્રીનગર બાજુમાં વાવડી રોડ, મોરબી છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના શરદકુમાર મગનલાલ ત્રિવેદી (શરદ એન્જિનિયરિંગ કંપની) (ઉં.69) તે વિનુભાઈ એમ. ત્રિવેદી (વ્યંકટેશ્વર ઈન્ડસ્ટ્રીઝ)ના નાનાભાઈ, હિરેનભાઈ ત્રિવેદી, વૈશાખી પ્રતીકકુમાર ચાંદ્રાણીના પિતાશ્રીનું તા.1રના અવસાન થયું છે.

જામનગર: મૂળ જામનગર નિવાસી હાલ ગાંધીનગર ઉર્વશીબેન મેહુલકુમાર ત્રિવેદી (ઉં.46) તે સ્વ.હર્ષવદન ત્રિભુવનદાસ જાનીનાં પુત્રી, અંબરીશભાઈ, વૈશાલીબેન રૂપેશકુમાર ત્રિવેદી, સોનલબેન રાજીવકુમાર પંડયા, કલ્પેશભાઈ, બિંદેશભાઈ, મહેશભાઈ, સ્વ.કેતનભાઈના બહેનનું તા.10ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 4થી 4.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: ઉપલેટા નિવાસ હાલ રાજકોટ કિશનભાઈ (ધીરૂભાઈ) ગોરધનભાઈ મારડિયા ભાવેશભાઈ, સાગરભાઈ, મનીષાબેનના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના 4થી 6 સંતકબીર રોડ, રામદેવપીર મંદિરની સામે, બાલકૃષ્ણ સોસાયટી, શેરી નં.ર7માં રાખેલ છે.

રાજકોટ: કુંદનબેન પ્રતાપરાય રાણપુરા (વલ્લભ કન્યા કેળવણી મંડળના શિક્ષક) (ઉં.81) પ્રતાપરાય ધનજીભાઈ રાણપુરા (એ.જી.ઓફિસ)ના પત્ની, મહેન્દ્રભાઈ હરિલાલ કુવરાણીના બહેન, જીજ્ઞેશભાઈના અને કવિતા મુકેશભાઈ સોમાણીના માતુશ્રી, હર્ષિલનાં દાદીમાં, જીજ્ઞાસા જીજ્ઞેશ રાણપુરા, ડૉ.મુકેશકુમાર કુંદનલાલ સોમાણીના સાસુનું અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સવારે 9 કલાકે ભક્તિનગર ઉપાશ્રય, ભક્તિનગર સોસાયટી શેરી નં.1, રાજકોટ છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક જ્ઞાતિના ચંદ્રિકાબેન હરીશભાઈ સાંગાણી (ઉં.62) તે હરીશભાઈ પ્રેમસુખલાલ સાંગાણીના પત્ની, તે સ્વ.દ્વારકાદાસ જીવનદાસ ગાંધીના પુત્રી, તે દિવ્યેશભાઈ, મનીષાબેનના માતુશ્રી, તે કુલદીપના દાદીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (બેસણું) તા.13ના સાંજે 4થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, ગિરીરાજ સોસાયટી, જૂનાગઢ છે.

જામનગર: હાલારી ભાનુશાળી મંજુબેન વેણીલાલ લખીયર (ઉં.79)નું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 4-30થી 5 બહેનો માટે તેમજ 5-30થી 6 ભાઈઓ માટે શ્રીહાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈ ચોક, જામનગર છે.

જૂનાગઢ: જ્યોત્સનાબેન જયંતીલાલ ઠક્કર (ઉં.76) તે અર્ચનાબેન જયંતિલાલ ઠક્કર (સરકારી વકીલ), સુનિલ, તેજસ ઠક્કર (વીએમસી બેંક), ઉત્પલના માતુશ્રી, સીમાબેન, મેઘનાબેન (ટીનાબેન), ક્રિષ્નાબેનના સાસુ, દક્ષ, તીર્થ અને માનવના દાદીનું તા.12ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 5થી 6, ભુતનાથ મહાદેવ મંદિર, સત્સંગ હોલ, કોલેજ રોડ

ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક