• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

avsan nondh

રાજકોટ: રાજેન્દ્રભાઇ સીમેજિયાનાં પત્ની, જયશ્રીબેન સીમેજિયા (ઉં.58) તે ધવલભાઈ, પ્રેમભાઈનાં માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.16ના બપોરે 4-30થી 6 સનસીટી હેવન રૈયાધાર, 80 ફૂટ રોડ, આર.એમ.સી. પાણીના ટાંકા સામે, રામદેવપીર ચોકડી પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ તેમનાં નિવાસસ્થાને છે.

રાજકોટ: ભાયાભાઇ વનમાળીદાસ સાહોલિયાનાં પત્ની, શીલાબેન ભાયાભાઇ સાહોલિયા તે પંકજભાઇ, સ્વ. હરીશભાઇનાં ભાભી, યશભાઇનાં માતુશ્રીનું તા.14નાં અવસાન થયું છે. બેસણું તા.16નાં સાંજે 4થી 6 રાષ્ટ્રીય શાળા, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ રાખેલ છે.

રાજકોટ : ખાખડાબેલા નં.6ના સ્વ.અમરસંગ કાળુભા જાડેજાનાં પત્ની ફૂલજીબા અમરસંગ જાડેજા (ઉં.85) તે બળવંતસિંહ, સતુભા, નટુભાનાં માતુશ્રી, તે વજુભાનાં કાકી, તે પ્રકાશસિંહનાં દાદીમા, તે ઝાલા કલુભા, ઝાલા અમરસિંહ, ગોહિલ ગુલાબસિંહ, ગોહિલ મજબૂતસિંહનાં સાસુ, તે ગોહિલ મહિપતસિંહ જટુભા (નવાણિયાવાળા)નાં મામી, તે સ્વ.હેમકુંવરબાનાં બેન, તે મોટા રામપર લાધાજી કાયાજીનાં દીકરીનું તા.14ના અવસાન

થયું છે.

પોરબંદર: પ્રભુદાસ ગોપાલદાસ ઠકરાર (ઉં.66) તેઓ નંદલાલભાઈ તથા કારૂભાઈના મોટાભાઈનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના 3-30થી 4 પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

વલભીપુર: સ્વ.દુર્ગાશંકરભાઈ પ્રભાશંકર ભટ્ટનાં પત્ની ડાહીબેન દુર્ગાશંકરભાઈ ભટ્ટ (ઉં.94) તે ડો.અરવિંદભાઈ ડી.ભટ્ટ (િનવૃત્ત મેડીકલ ઓફિસર, પી.એસ.સી.િશહોર), ડો.શરદભાઈ ભટ્ટ (િનવૃત્ત સાયન્ટીસ્ટ, સેન્ટ્રલ સોલ્ટ, ભાવનગર), અશ્વિનભાઈ ભટ્ટ (િનવૃત્ત મદદનીશ શ્રમ આયુક્ત), જસુમતીબેન પ્રવીણભાઈ ભટ્ટ (િનવૃત્ત શિક્ષક)નાં માતા, તે ભાવિનભાઈ ભટ્ટ (ભાવનગર), કાર્તિકભાઈ ભટ્ટ (અમદાવાદ), દર્શિતાબેન મયંકકુમાર ભટ્ટ (આણંદ), નિધિબેન કાર્તિકકુમાર નેગી (વડોદરા)ના દાદીનું તા.14ના અવસાન થયું છે. સાદડી તા.16નાં 4થી 6, દીપક હોલ, પહેલા માળે, સંસ્કાર મંડળ ખાતે છે.

ભાણવડ: ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ.મગનલાલ ભવાનીશંકર પંચોલીનાં પત્ની વિલાસબેન (ઉં.83) તે કિશોરભાઈ, રાજુભાઈ, ભાવનાબેન, મધુબેનનાં માતાનું તા.12નાં અવસાન થયું છે.

અમરેલી: સ્વ.કેશવભાઈ વિરજીભાઈ સોલંકીના પુત્ર હરીશભાઈ (ઉં.66) તે ભાવનાબેનના પતિ, તે હાર્દિકભાઈ, ધાર્મિકભાઈના પિતાશ્રી, તે કાંતિભાઈ, ગીરધરભાઈ, સ્વ.વસંતભાઈ, ધનસુખભાઈ, સ્વ. પ્રવીણભાઈના ભાઈનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, સહજ હોલ, ચક્કરગઢ રોડ, ફાટક પાસે, અમરેલી છે.

બગસરા: સ્વ.ગોરધનદાસ ગોપાલજીભાઈના ભરખડાનાં પત્ની ગોદાવરીબેન (ઉં.90) તે શાંતિલાલ, નવિનચંદ્ર, વિનોદરાય, જયેશકુમારનાં માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, વાંઝા જ્ઞાતિની વાડી, વાંઝાવાડ, બગસરા છે.

રાજકોટ: પ્રતાપરાય અમૃતલાલ મહેતા તે મૂળ આકોલા નિવાસી હાલ રાજકોટ તે જૈન દેરાવાસી અમૃતલાલ મેઘજીભાઈ મહેતાના પુત્ર, તે સ્વ.પ્રભાબેનના પતિ, તે મુકેશભાઈ, ધનેશભાઈ, સંધ્યાબેનના પિતાશ્રી, તે જગદીશભાઈ નરભેરામ દોશીના સસરા, તે સ્વ.કપુરચંદ વછરાજ બાખડાના જમાઈ અને સ્વ.જગદીશભાઈ તથા શરદભાઈના બનેવીનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના બપોરે 4 વાગે શ્રમજીવી જૈન દેરાસર (ઉપાશ્રય) રાજકોટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક