• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: જેતપુર નિવાસી હાલ રાજકોટ મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ ડોલરભાઈ વેણીલાલ કોઠારી તે વેણીલાલ જીવરાજભાઇ કોઠારીના પુત્ર, હેમાબેનના પતિ, કાર્તિકભાઇ, સ્નેહાબેનના પિતાશ્રી, ઝંખનાબેન, સચિનભાઈ સંઘવીના સસરા, ધ્રુવી તથા ખુશીના દાદા, સ્મિત તથા શ્રુતના નાના, સ્વ. જયંતીલાલ ભગવાનલાલ કામદારના જમાઇ અને પુષ્પાબેન, ભાનુબેન, તારાબેન, મંજુબેન, જશુબેન તથા જ્યોતિબેનના ભાઇનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના બપોરે 4 કલાકે રોયલ પાર્ક સ્થાનક પછી જૈન સંઘ ઉપાશ્રયમાં સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.

ગોંડલ: સ્વ. શાંતિલાલ સી. શેઠના પુત્ર કિશોરભાઈ (ઉ.80) (હાલ અમદાવાદ) તે હર્ષિદાબેનના પતિ, ઉર્વી, અવની, જીજ્ઞેશના પિતાશ્રી, દિપ, મનીષાના સસરા, સ્વ.મધુબેન, સ્વ.વિજયભાઈ, કોકીલાબેન, પ્રકાશભાઈ, જ્યોતિબેન, હર્ષાબેન, રીનાબેનના મોટાભાઈનું તા.6નાં અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા.9નાં બપોરે 4 થી પ છે.

વિસાવદર: ચંદુલાલ શાંતીલાલ કુબાવત (ઉ.60) તે ગૌતમભાઈ, એકતાબેનના પિતાશ્રી, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.ભરતભાઈ તથા અશ્વીનભાઈ, જોશનાબેન પ્રવિણભાઈ નિમાવત (જૂનાગઢ), સ્વ.બેનાબેન ભરત નિમાવત (ભડલી વેરાવળ)નાં ભાઈ, ભાડેર નિવાસી મથુરભાઈ લક્ષ્મીદાસ નિમાવતના જમાઈનું તા.6નાં અવસાન થયું છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન, હનુમાનપરા વિસાવદર છે.

મોરબી: ઉમિયાબેન જેચંદભાઈ મહેતા (બગથળા)વાળા (ઉ.91) તે સ્વ.રજનીભાઈ, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, શૈલેષભાઈના માતુશ્રી, વીણાબેનના સાસુ, અંકિતા હિમાંશુ કુમાર, નિકિતા નિમેષ કુમારના દાદીનું તા.6નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.9નાં સવારે 10 વાગ્યે, પ્રાર્થના સવારે 11 વાગ્યે બન્ને કાર્યક્રમ વિશાશ્રીમાળી વાડી, નવડેલા રોડ, મોરબી છે.

ગોંડલ: સુંદરદાસ ગુલુમલ વરધાની (ઉ.74) તે પ્રકાશભાઈ, દિપકભાઈ, નિતેશભાઈના પિતાનું તા.7નાં અવસાન થયુ છે. બેસણુ (પઘડીયુ) તા.8નાં સાંજે પાંચ કલાકે સિંધુભવન મહાદેવવાડી, ગોંડલ છે.

જામનગર: જામગનરના જાણીતા બિલ્ડર્સ, લેન્ડ ડેવલોપર્સ, મહેર અગ્રણી કરશનભાઈ ભૂતિયાના પત્ની કારીબેન (ઉ.66)નું તા.6નાં રોજ અવસાન થયેલ છે. તેઓ થોડા સમયથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ તેમની પાછળ પતિ કરશનભાઈ, પુત્રો નિલેશભાઈ, હિમાંશુભાઈ, પુત્રી સોનુબેન તથા પુત્રવધુઓ, જમાઈ, પૌત્રો, પૌત્રી તથા દોહિત્રના વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. પ્રાર્થનાસભા તા.9નાં સાંજે 4 થી પ ઓશવાળ સેન્ટર (એ/સી હોલ)માં ભાઈઓ તથા બહેનો માટે છે.

રાજકોટ: ગારિયાધાર નિવાસી હાલ રાજકોટ બારોટ દિનેશભાઈ જેન્તીભાઈ ઘેલાણીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના 4થી 6 સંત કબીર રોડ પંચશીલ શાળાની બાજુમાં સગર જ્ઞાતિની વાડી, રાજકોટ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં ભારતની આજે દ. કોરિયા સામે ટક્કર લીગ રાઉન્ડમાં કોરિયાને હાર આપનાર ભારત આ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં September 16, Mon, 2024