• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

રાજકોટ: ઝાલા નરેન્દ્રબા ધર્મેન્દ્રસિંહ (ઉ.વ.74) તે ભરતસિંહ, જયવંતસિંહના માતા તથા યશવંતસિંહ, પરમજીતસિંહના દાદી તથા રાજદિપસિંહના મોટાબાનું તા.10ને સોમવારે અવસાન થયું છે. બેસણુ તા.14ને શુક્રવારે તેમના નિવાસ સ્થાને બાબરીયા કોલોની શેરી નં.4 રાજકોટ ખાતે છે.

ચોરવાડ: મુકેશભાઈ ગાંધી તે પાનના વેપારી સ્વ.જમનાદાસ ગાંધીના પુત્ર, પ્રદીપભાઈ, સ્વ.હરેશભાઈ, સ્વ.ઈલાબેન, દિનેશભાઈ શેઠ (મુંબઈ), બાળાબહેન હર્ષદભાઈ મહેતા (બેંગ્લોર), મીનાબેન નિલેશભાઈ શેઠ (રાજકોટ)ના ભાઈ તેમજ હંસાબેનના દેર, રીના, બીનાના કાકાનું અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કોડીનાર: છારીયા ઉનેવાળ બ્રાહ્મણ ચંદુભાઈ ભાણજીભાઈ જાની (ઉ.વ.81) તે ગિજુભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ (જૂનાગઢ), નવીનભાઈ તથા રમેશભાઈ (મહેસાણા)ના ભાઈ તથા હિતેશભાઈ (વેરાવળ), ભાવનાબેન (બરોડા)ના પિતા તેમજ પંકજકુમાર આસ્તિક અને સરિતાબેનના સસરા અને માનસી, સલોનીના દાદાનું તા.10ના સોમવારે અવસાન થયું છે. ઉઠમણુ તા.11ને મંગળવારે સવારે 10 કલાકે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ બેસણુ તા.13ને ગુરૂવારે સાંજે 4 થી 6 બ્રહ્મપુરી કોડીનાર ખાતે છે.

જૂનાગઢ: રાજકોટ નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શશીકાંત મણિશંકર ભટ્ટ (ઉ.વ.91) તે જયેશભાઈ (જૂનાગઢ) તેમજ કલ્પનાબેન સુરેશભાઈ ભટ્ટ (અમદાવાદ), નિશાબેન ભટ્ટ (રાજકોટ)ના પિતા તેમજ યશભાઈ ભટ્ટ (જૂનાગઢ)ના દાદાનું તા.10નાં અવસાન થયું છે.

કાલાવડ: સુરેશભાઈ હરિલાલ કડેચાના પત્ની તથા વિનોદભાઈ, મુકેશભાઈના ભાભી તથા જયેન્દ્રભાઈ, આશિષભાઈ, ગોપીબેનના માતુશ્રી, ધીરજબેન સુરેશભાઈ કડેચાનું તા.10નાં રોજ અવસાન થયું છે. બેસણુ તા.13નાં ગુરુવારના રોજ તેમના નિવાસ સ્થાને ખત્રીવાડ, હવેલી શેરીમાં સાંજે 4 થી 6 છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક