• મંગળવાર, 23 એપ્રિલ, 2024

avsan nondh

રાજકોટ: તરૂલતાબેન જેન્તીલાલ ઝાંઝમેરિયા (ઉં.70) તે ગો.વા.શાંતિલાલ દયાળજીભાઈ ભુવાનાં પુત્રી, તે અશોકભાઈ, નરેન્દ્રભાઈ, ગો.વા.અનિલભાઈ, દક્ષાબેનનાં બેન, તે પ્રશાંતભાઈનાં માતુશ્રી તથા યશ્વીનાં દાદીનું તા.4ના અવસાન થયું છે.

વિસાવદર: જમનાબેન (ઉં.67) તે ભાનુશંકર પ્રભાશંકર જોષીનાં પત્ની, તે ભરતભાઈ, કલ્પનાબેન ચંદુલાલ દવે, નીલુબેન કીર્તિકુમાર જોષી, મીનાબેન સંજયકુમાર પંડયાનાં માતૃશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ને ગુરુવારે સાંજે 4થી 6, ગાયત્રી મંદિર, ડોબરિયા પ્લોટ ખાતે છે.

ખંભાળિયા: વિમલભાઈ (ઉં.49) તે સ્વ.કનૈયાલાલ ઓધવજીભાઈ બલભદ્રના પુત્ર, તે સ્વ.શરદભાઈના ભાઈ, તે ભારદ્વાજભાઈ તથા પ્રિયાંશીબેનના પિતાશ્રી તેમજ ગોંડલવાળા શાંતિલાલ ઈશ્વરલાલ ધરદેવના જમાઈ તેમજ દિનેશભાઈ હર્ષભાઈ તથા હિતેશભાઈ ધરદેવના બનેવીનું અવસાન થયું છે.

સમઢિયાળા (િગર): વનીતાબેન (ઉં.61) તે જયેન્દ્રભાઈ કાંતિભાઈ ઠાકરનાં પત્ની તે ચંદ્રેશભાઈ તથા હિતેશભાઈનાં માતુશ્રી, તે ભરતભાઈનાં કાકીનું તા.4ના અવસાન થયું છે.

રાજકોટ: મનજીભાઈ ભીખાભાઈ વાળા (શ્રીરામ ચા ઘર)(ઉં.73) તે ભાવેશભાઈ, ધર્મેશભાઈ અને અલ્કાબેન મુકેશભાઈ પરમાર તથા ઈલાબેન દિપેશભાઈ વાઘેલાના પિતાશ્રીનું તા.4ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.8ને ગુરુવારે સાંજે 4થી 6, તેમનાં નિવાસસ્થાન, વિજયનગર, બ્લોક નં.98, વોરા કોટડા રોડ, ગોંડલ ખાતે છે.

વેરાવળ: ડાયાલાલ વશરામભાઈ ગોહિલ (ઉં.99) તે ચંદ્રકાંતભાઈ, ડો.નીતિનભાઈ, ડો.િધરેનભાઈ, મંજુલાબેન (અમેરિકા)ના પિતાશ્રીનું તા.4ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.8ને ગુરુવારે સાંજે 4થી 5, નવા રામ મંદિર, કૃષ્ણનગર, વેરાવળ ખાતે છે.

કોડિનાર: સુરેશભાઈ દેવજીભાઈ સાગર (ઉં.65) તે શ્રીરામ જ્વેલર્સ વાળા પ્રકાશભાઈ તથા ઉદયભાઈના પિતાશ્રીનું તા.4ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.8ને ગુરુવારે સવારે 8થી સાંજે 6, ગાયત્રી મંદિર, કોમ્યુનિટી હોલ, તૃપ્તિ પેટ્રોલ પંપની સામે, કોડિનાર ખાતે છે.

જેતપુર: ફકરૂદીનભાઈ ફઝલેઅબ્બાસ ખેતી (ઉં.71) તે જેતુનબેનના શૌહર, હકિમુદ્દીનભાઈ જેહરાબેનના બાવાજી, તે અસગરભાઈ, કાયમભાઈ, હાતીમભાઈ, ઝેહરાબેનના ભાઈ રવિવારે વફાત થયા છે. જીયારતના શીપારા તા.6ને મંગળવારે, બપોરે 11-30, પરાની મસ્જીદ, મતવા શેરીમાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક