• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ : અંજનાબેન જગદીશભાઇ દોશી (ઉં.78) તે જગદીશભાઇ વસંતલાલ દોશીનાં પત્ની, દિપાલીબેન, બીનાબેન, હેતુલભાઇનાં માતુશ્રી, નવનીતભાઇ, નરેન્દ્રભાઇ, ઉષાબેન દિલીપકુમાર ઉદાણીનાં ભાભી, કલકતા નિવાસી સ્વ. કાન્તિલાલ કોઠારીનાં પુત્રી, કિરણભાઇ કોઠારીનાં બેન, સેજલબેન દોશી અને જીજ્ઞેશકુમાર મહેતાનાં સાસુ, મનનનાં દાદીનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું/ પ્રાર્થના સભા તા.17ના સવારે 10 વાગ્યે વિરાણી વાડી, કોઠારિયા નાકે રાજકોટ છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: જીતુબેન ભગવાનભાઇ સોડાગરનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 576મું ચક્ષુદાન છે.

રાજકોટ:  અમદાવાદ નિવાસી સીમાબેન (ઉં.53) તે ધર્મેન્દ્રભાઇ પ્રવીણચંદ્ર કાનાબારનાં પત્ની, સ્વ. પ્રવીણભાઈ વલ્લભદાસ કાનાબારનાં પુત્રવધૂ, જયેન્દ્રભાઇ, જયેશભાઇ, રોહિત, ભાવેશ, ગૌરવ તથા આરતીબેન રાકેશભાઇ રાજપોપટ (બેંગલોર) તથા પન્નાબેન પ્રશાંતભાઇ શિંગાળાનાં ભાભી તેમજ સ્વ. કિરણભાઇ ધુપેલિયાનાં પુત્રી, દેવેન તથા સ્વ. મનિષ ધુપેલિયાનાં બહેન, આશ્કા, માનસી તેમજ સિદ્ધાંતનાં માતુશ્રીનું તા.15ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.17ના સાંજે 5થી 6 પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ, નિર્મલા રોડ રાજકોટ છે.

રાજકોટ: ઓ.ખરેડી બ્રાહ્મણ સ્વ.નલિનભાઈ (અશ્વિનભાઈ) નર્મદાશંકર વ્યાસ, તે સુધાબેન વ્યાસના પતિ, સ્મિતા વિરલ સોનેચા અને સચિન વ્યાસના પિતાનું તા.1પનાં અવસાન થયું છે.  પ્રાર્થનાસભા તા.19નાં પ થી 6 જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

રાજકોટ: મંજુલાબેન હરજીવનભાઈ થડેશ્વર (ઉ.89) તે હરજીવનભાઈ વિઠલદાસ થડેશ્વરના પત્ની, હસમુખભાઈના માતુશ્રી, હિરેન તથા દિવ્યાના દાદીનું તા.16ના અવસાન થયું છે. બેસણુ તા.17નાં 4 થી સાંજે 6 ભગવાન ભુવન વાડી, 6/11 પંચનાથ પ્લોટ, સદર રાજકોટ છે.

વેરાવળ: સીમર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ વેરાવળ નિવાસી જદુરાઈ (બાબુભાઈ) જટાશંકર પંડયા (ઉ.વ.67) તે સ્વ.પંકજભાઈ, વિક્કીભાઈ, સ્વ.હીનાબેન મહેશભાઈ વોરાના પિતાશ્રી, કાંતાબેન ઉમિયાશંકર જોશી (ભાલકા ભવાની મંદિરના પૂજારી)ના ભાઈનું તા.1પના અવસાન થયું છે. બેસણુ તા.17નાં 4 થી 6 હુડકો સોસાયટી, મહાકાલેશ્વર

મંદિરે છે.

રાજકોટ: શુશીલાબેન વિઠ્ઠલભાઈ જોશી (ઉ.94) તે રજનીકાંત જોશીના માતુશ્રી, મિતેષ, પ્રજ્ઞેશ તથા ધર્મેન્દ્રના દાદીનું તા.14નાં અવસાન થયું છે. બેસણુ તા.18નાં સાંજે 4 થી 6, રૂદ્ર, સમર્પણ પાર્ક મેઈન રોડ, ભગવતી હોલવાળી શેરી, રેલનગર, રાજકોટ છે.

રાજકોટ: મોઢ વણિક રમાબેન લલિતભાઈ ગાંધી (ઉ.90) તે સ્વ.લલિતભાઈ નાનચંદભાઈ ગાંધીના પત્ની, જયેશભાઈ, જીતેનભાઈ અને ઉર્મિબેનના માતુશ્રી, રોહન અને સુનીલના દાદીનું તા.16નાં અવસાન થયું છે. બેસણુ તા.17નાં સાંજે પ થી 6.30 સવન સિમ્ફોની, વિદ્યાનિકેતન રોડ, રૈયા ગામની સામે,

રાજકોટ છે.

સાવરકુંડલા: શાંતાબેન વાલજીભાઈ કળથિયા (ઉં.85) તે ધનજીભાઈ, રાજુભાઈ તથા હિંમતભાઈનાં માતૃશ્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6, જેસર રોડ, નંદીગ્રામ સોસાયટી, “રાંદલ કૃપા’’, સાવરકુંડલા છે.

રાજકોટ: ચુડા ગામના વતની હાલ રાજકોટ અશ્વિનભાઈ પોપટલાલ આડેસરા (ઉં.63) તે ચારૂલતાબેનના પતિ, તે ભાવિકાબેન રવિકુમાર પારેખ, મિતલબેન વિજયકુમાર માંડલિયા તથા હિરેનભાઈના પિતાશ્રી, તે તેજસ આડેસરાના કાકાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4-30થી 6, ગુરુવારે સોની સમાજની ખીજડાવાળી વાડી, ઝવેરી હોલ, કોઠારિયા નાકા રોડ, રાજકોટ ખાતે છે.

બગસરા: ઠક્કર (લોહાણા) લાલજીભાઈ નાનજીભાઈ સાદરાણી (મોટા મુંજિયાસારવાળા)નાં પત્ની નિર્મળાબેન (ઉં.81) તે હીરાભાઈ, સંજયભાઈ, નીતેશભાઈ (સુરત)નાં માતુશ્રી, તે પરાગભાઈ (પૂજા ડ્રેસીઝ બગસરા)નાં દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.19ના બપોરે 4થી 6, લોહાણા મહાજન વાડી, બગસરા અમરેલી રોડ ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

પોરબંદર: ભાનુબેન (ઉં.82) તે કંસારા સ્વ.લાલદાસ જગમોહનભાઈ શેઠનાં પત્ની, તે અતુલભાઈ, મિતેશભાઈનાં માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ના સવારે 10થી 10-30 દરમિયાન તેમનાં નિવાસસ્થાન, ગણેશ ફ્લોર મીલ સામે, રાજીવનગર ખાતે છે.

જામનગર: શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ સુશીલાબેન પ્રેમશંકર ત્રિવેદી (ઉં.90) તે સ્વ.પ્રેમશંકર ભવાનીશંકર ત્રિવેદી (બોસિયા ત્રિવેદી)(માણાવદરવાળા)નાં પત્ની, તે ક્રિષ્નાભાઈ (બોમ્બે), લતાબેન દિક્ષીત (બોમ્બે), હંસાબેન ભટ્ટ (બોમ્બે), મીનાબેન ભટ્ટ (રાજકોટ), અતુલકુમાર ત્રિવેદી (જામનગર)નાં માતા, તે કાલાવડ નિવાસી સ્વ.નૌતમભાઈ ત્રિવેદી, સ્વ.કિશોરભાઈ ત્રિવેદી, પ્રતાપભાઈ ત્રિવેદી, સ્વ.ભાનુબેન જોષી, સ્વ.જયાબેન ભટ્ટ, અનસુયાબેન ત્રિવેદીનાં બહેનનું તા.15ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.17ના બપોરે 4-30થી 5, જલારામ મંદિર, સાધના કોલોની, જામનગર છે.

રાજકોટ: મૂળ ટંકારા નિવાસી, સ્વ. વર્ધમાન તારાચંદ મહેતાના પુત્ર રમેશચંદ્ર વર્ધમાન મહેતા, તે સ્વ.બટુકભાઈ, સ્વ.પ્રવીણભાઈના નાનાભાઈ, પ્રફુલ્ભાઈ અને હકાભાઈના મોટાભાઈનું તા.16મીએ અવસાન થયું છે. ઉઠમણું તા.17મીએ ગુરુવારે સાંજે 4 વાગ્યે ટંકારા સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં રાખેલ છે. બેસણું સાંજે 4થી 6 તેમનાં નિવાસસ્થાને રાખેલ છે.

સાવરકુંડલા: વાંઝા દરજી ચીમનભાઈ ટપુભાઈ ગોહેલ (ઉં.70) તે વિજયભાઈ, ધર્મેન્દ્રભાઈના પિતાનું તા.15નાં અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4થી 6, વાંઝા જ્ઞાતિ વાડી, પોસ્ટ ઓફિસ રોડ, નાવલી પોલીસ ચોકી પાસે, સાવરકુંડલા છે.

રાજકોટ: સોની વલ્લભદાસ જગજીવન અખેડીયના પુત્ર શાંતિલાલ (ઉં.81) તે સ્વ.અમૃતલાલ, સ્વ.જનસુખભાઈ, સ્વ.વિનોદભાઈ, સ્વ.જયેન્દ્રભાઈ, જેન્તીલાલના ભાઈ, તે સંદીપભાઈ, હીનાબેન, સ્વ.અલ્કાબેન, છાયાબેન, અંજનાબેન અને દિપાલીબેનના પિતાશ્રી, તે અનુગ્રહના દાદાનું અવસાન થયું છે. ઉઠમણું તા.17ના સવારે 10થી 11, શ્યામકુંવરબાઈની વાડી, દરબારગઢ ચોક,

રાજકોટ છે.

રાજકોટ, સડોદર: રાજગોર બ્રાહ્મણ જયાબેન ગોવિંદભાઈ તેરૈયા (ઉં.70) તે કનુભાઈ, હંસાબેન રમણીકભાઈ જોષી (રાજકોટ), ભાવનાબેન, ભારતીબેનનાં માતુશ્રી, તે ડાયાભાઈ શિવરામભાઈ તેરૈયાનાં ભાભીનું તા.13ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક