• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

જામકંડોરણા: જામકંડોરણા નિવાસી ઔ.ખરેડી સમવાય જ્ઞાતિ બ્રાહ્મણ પ્રમોદરાય લાભશંકર ભટ્ટ (ઉ.7ર) તે નિધીબેન હાર્દિકભાઈ જોષીના પિતાશ્રી, સ્વ.નવીનભાઈ, નિરંજનભાઈ, સ્વ.સુધાબેન, હસુમતીબેન, ઉષાબેન, ભારતીબેન, રવિન્દુબેનના ભાઈનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર1નાં સાંજે 4 થી પ ભાટિયા મહાજન વાડી, જામકંડોરણા છે.

પોરબંદર: કિશોરભાઈ ઈન્દુભાઈ રાઠોડ (ઉ.વ.65) તે રાજુભાઈ, ગોપાલભાઈ, ભાવનાબેનના મોટાભાઈ, વિજયભાઈ, હીનાબેનના પિતાશ્રી, જીતુભાઈ, કુલદીપભાઈના મોટાબાપુનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (બેસણુ) તા.ર1નાં સાંજે 4 થી પ ખવાસ જ્ઞાતિની વાડીએ છે.

વડિયા: સરલાબેન જયંતીભાઈ ધકાણ તે સ્વ.જયંતીભાઈ સોનાના પત્ની, ધર્મેશભાઈ, પરેશભાઈ, પીન્ટુભાઈ, અલ્પેશભાઈ ધકાણના માતુશ્રીનું તા.18નાં અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં સમય 4 થી 6 લોહાણા મહાજન વાડી, વડિયા છે.

માધવપુર (ઘેડ): કાકુલાલ ગોકળદાસ રાજદેવ (ઉં.8ર) તે સ્વ.જેન્તીભાઈ, સ્વ.વલ્લભદાસ અને બાબુભાઈના ભાઈ, જીજ્ઞેશભાઈના પિતાશ્રીનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં 4 થી 4.30 લોહાણા મહાજન વાડી, માધવપુર ઘેડ ખાતે છે. મોસાળ પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: સુરતના હાલ રાજકોટ કિરીટગીરી ઉમેદગીરી ગોસ્વામી તે દિપગીરી ગોસ્વામી, પવનગીરી ગોસ્વામીના પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણુ તા.ર1નાં સાંજે 4 થી 6 કલાકે સ્થળ બી-ર, શેરી નં.ર, શ્રીરામપાર્ક સોસાયટી, ગોકુળીયુ હોટલની પાછળ, મૈસુર ભગત ચોક પાસે, રાજુ રવેચી હોટલની બાજુમાં, રેલનગર, રાજકોટ છે.

ભચાઉ: ભીમાસર (ભુરકીયા) હાલ રાજકોટ અનિરૂદ્ધસિંહ અનોપસિંહ વાઘેલા તે નરેન્દ્રસિંહ, અરૂણસિંહના ભાઈ, હરપાલસિંહ, યુવરાજસિંહ, દિગ્વિજયસિંહ, હરસદબા, સંજયસિંહ જાડેજા, અંજનાબા, કૃષ્ણપાલસિંહનાં પિતાશ્રી, સૂર્યદિપસિંહ, હરપાલસિંહ, પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ, આશાબા હરપાલસિંહ, માન્યતાબા દિગ્વીજયસિંહ, વિદિશાબા યુવરાજસિંહના દાદાનું તા.16ના અવસાન થયું છે.

રાજકોટ: જસુમતીબેન પોપટલાલ ભોજાણી (ઉ.89) તે સ્વ.પોપટલાલ શિવલાલ ભોજાણીના પત્ની, બિહારીભાઈ, મનીષાબેન (ટીકુબેન), ભાવિનકુમાર ઠક્કર (મુંબઈ)ના માતુશ્રી, ચેતના બિહારી ભોજાણીના સાસુ, ધરતીબેન દેવાંગભાઈ નથવાણી, ડૉ.નુપુરબેન મૈત્રયભાઈ ભાલોડિયાના દાદી, રાજુભાઈ મનહરલાલ ભોજાણીના ભાભુનું તા.18નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર1ના સાંજે પ થી 6 નીલકંઠ હોલ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મોટા આંકડીયા હાલ રાજકોટ અમૃતલાલ હરીલાલ રવાણી (ઉં.85)નું તા.17નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર1નાં સવારે 10 થી 1ર સદર ઉપાશ્રય (પંચનાથ), 1પ-પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

જામ ખંભાળીયા: સ્વ.રતનશીભાઈ લીલાધરભાઈ રાયચુરાના પુત્ર પરસોત્તમભાઈ તે સ્વ.દ્વારકાદાસ (લંડન)ના નાનાભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ (ખંભાળિયા), દિલીપભાઈ (લંડન)ના મોટાભાઈ, સ્વ.માધવજીભાઈ કોટેચા (પોરબંદર)ના જમાઈ, અતુલભાઈ, કમલેશભાઈના કાકા, દિવ્યેશભાઈ, વિશાલભાઈ, હાર્દિકભાઈ, પારસભાઈના અદાનું તા.19નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરાપક્ષની સાદડી ભાઈઓ, બહેનો માટે તા.ર1નાં 4 થી 4.30 જલારામ મંદિર ખાતે છે.

વેરાવળ: તારામતીબેન કારીયા (ઉ.8ર) તે હિંમતલાલ ગોવિંદજી કારીયાના પત્ની, અશ્વિનભાઈ (દુબઈ), ભાવનાબેન હરીશકુમાર રૂધાણી (બરોડા), પલ્લવીબેન પરાગકુમાર મોરજરીયા (મોઝામ્બિક)ના માતુશ્રી, સ્વ.જાદવજી દામોદરદાસ કોટેચા (ભાણવડવાળા)ની પુત્રી, સ્વ.ગોવિંદજી છગનલાલ કારીયા (પોરબંદર)ના પુત્રવધુનુ તા.19નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.ર1નાં સાંજે 4 વાગ્યે બિલેશ્વર મંદિર વેરાવળ ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક