• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.લીલમબેન તે સ્વ.નગીનદાસ જયંતીલાલ ગોડાનાં પત્નીનું અવસાન થતાં તેમના ભત્રીજા જાણીતા એડવોકેટ, જૈન અગ્રણી, વિરેશભાઈ, હિરેનભાઈ ગૌડા પરિવાર દ્વારા જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાલાની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું હતું. ચક્ષુદાન અભિયાન સમિતિના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, વિવેકાનંદ યુથ ક્લબના કન્વિનર અનુપમભાઈ દોશી, જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી અને આઇ ડોનેશન ડ્રાઇવના ઉપેનભાઈ મોદી દ્વારા ચક્ષુદાન સ્વીકાર્યું હતું.

ચક્ષુદાન

ધોરાજી : ખેડૂત અગ્રણી નરશીભાઈ કડવાભાઈ સોજીત્રાનું અવસાન થતાં પરિવારના મોભી રમેશભાઈ સોજીત્રા દ્વારા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા સરકારી હોસ્પિટલનાં ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો.જયેશ વેસેટિયન અને મેડિકલ ટીમે ચક્ષુદાન પ્રક્રિયા હાથ ધરી હતી. આ તકે અરવિંદભાઈ સોજીત્રા, ધર્મેન્દ્રભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, જેન્તીભાઈ સોજીત્રા, આહીર અગ્રણી લક્ષ્મણભાઈ વસરા, ભનુભાઈ વેકરિયા વગેરે ઉપસ્થિત હતા.

રતનપુર (તા. ઉમરાળા): ગંભીરસિંહ બહાદુરસિંહ ગોહિલ (ઉ.85) તે પ્રકાશસિંહ જોરાવરસિંહ અને નરપાળસિંહ જોરાવરસિંહના મોટાભાઇ, રામદેવસિંહ અને વિજયસિંહના કાકા, મહિપાલસિંહ, રાજેન્દ્રસિંહના પિતાશ્રી, પ્રિયરાસિંહ (પી.પી.), જયરાજસિંહ (જે.પી.) અમરજીતસિંહ, મેઘરાજસિંહના મોટાબાપુનું તા.19ના અવસાન થયું છે.

જૂનાગઢ: મુળ ગોંડલ હાલ જૂનાગઢ સ્વ. બાલકૃષ્ણભાઇ અંબાલાલ દવેનાં પત્ની વિજયાબેન તે સુનિલભાઇ, અલ્કાબેન (જૂનાગઢ), કલ્પનાબેન  (રાજકોટ), કાશ્મીરાબેન (અમરેલી), ગીતાબેન (જૂનાગઢ)ના માતુશ્રી, જય તથા નિશાબેનના દાદીનું તા.20ના અવસાન થયું છે.બેસણું તા.21નાં સાંજે ચારથી છ, રામદેવપીર મંદિર, નારાયણનગર, નિવાસસ્થાનની સામે, જોશીપુરા જૂનાગઢ છે.

રાજકોટ: પુનિતાબેન પ્રતાપભાઇ ઘેલાણી (ઉ.83) તે અલ્કેશ પ્રતાપરાય ઘેલાણી, હિનાબેન અશોકભાઇ સવજાણી, અલ્કાબેન કિશોરભાઇ ઉનડકટ, દિપ્તીબેન સંજયભાઇ કાનાબાર, રૂપાબેન આનંદભાઇ કાનાબારના માતુશ્રી, મિતાબેન અલ્કેશભાઇ ઘેલાણીના સાસુ, સલોની તથા યશના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજ 5 થી 6, કેશરીયા વાડી, કેકેવી હોલ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: જશુમતીબેન પોપટલાલ ભોજાણી (ઉ.89) તે સ્વ. પોપટલાલ શિવલાલ ભોજાણીના પત્ની તે બિહારીભાઇ, મનિષાબેન (ટીકુબેન) ભાવીનકુમાર ઠક્કર (મુંબઇ)ના માતુશ્રી, ધરતીબેન દેવાંગભાઇ નથવાણી, ડો. નુપુરબેન મૈત્રેયભાઇ ભાલોડીયાના દાદીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.21ના સાંજે 5 થી 6, નિલકંઠ હોલ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિનાં દર્શિત ચાવડા (આર્કિટેકટ) (ઉ.26) તે રસીકભાઇ બાબુલાલ ચાવડાના પુત્ર, જયેશભાઇ, રાજેશભાઇના ભત્રીજા, મેહુલભાઇ મગનભાઇ ચોટલીયા અને જીજ્ઞેશભાઇ મગનભાઇ ચોટલીયાના ભાણેજનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4 થી 6 ગુલમોહર રેસીડેન્સી કોમન પ્લોટ, પેરેડાઇઝ હોલ સામેની શેરી, રૈયા રોડ, રાજકોટ છે.

મોરબી: મુળ કોટડા નાયાણી, હાલ મોરબી નિવાસી મહાવિરસિંહ દિલુભા જાડેજા (ઉ.72) તે ધર્મેન્દ્રસિંહ, વિજયસિંહ અને અરવિંદસિંહના ભાઇ, દિવ્યરાજસિંહના પિતાશ્રી, હર્ષરાજસિંહના દાદાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.21ના સાંજે 4 થી 6   વિદ્યુતનગર સોસાયટી, સર્કિટ હાઉસની સામે, ઉમા ટાઉનશીપ નજીક સામાકાંઠે મોરબી-2 છે.

માધવપુર (ઘેડ): બાબુભાઇ ગોકળદાસ રાજદેવ (ઉ.84) તે સ્વ. જેન્તીભાઇ, સ્વ. વલ્લભદાસ, સ્વ. કાકુભાઇના ભાઇ, હરેશભાઇ, પરેશભાઇ, જીલેશના પિતાશ્રીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.21નાં 4 થી 4-30 લોહાણા મહાજન વાડી ખાતે મોસાળ પક્ષની સાદડી સાથે છે.

કોડીનાર: સ્વ. છોટાલાલ વશરામભાઇ ગટેચાના પત્ની શારદાબેન (ઉ.84)તે પ્રફુલભાઇ (રાજકોટ), જયેશભાઇ તથા વિજયભાઇ (કોડીનાર) તથા રેખાબેન શશીકાંત ગઢીયા (રાજકોટ), જયશ્રીબેન સુધાકરભાઇ જસાણી (સુરત), દક્ષાબહેન ઉદયકુમાર રાજા (જૂનાગઢ)ના માતુશ્રી, સ્વ. જગજીવનભાઇ, સ્વ. નાગરભાઇ, કિર્તિભાઇ પરમાણંદદાસ કક્કડના બહેનનું તા.19ના અવસાન થયું છે. સ્વ.નું ઉઠમણું તા.21નાં બપોરે 4 વાગે પીપળેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન પાસે, કોડીનાર ખાતે પ્રાર્થના સભા તા.24ના સાંજે 4 થી 6 વિજયભાઇ ગટેચાના નિવાસસ્થાને ગાયત્રી સોસાયટી કોડીનાર છે.

જામનગર: મૂળ ખાખરાના વતની સ્વ. મહાશંકર નવલશંકર ત્રિવેદીના લઘુબંધુ સ્વ. જનાર્દન નવલશંકર ત્રિવેદી (શ્રી પ્રિન્ટરી વાળા)ના પત્ની ચંદનબેન (ઉ.93) તે હડીયાણા નિવાસી પ્રભુલાલ અંબારામ જાનીના પુત્રી, પ્રફુલભાઇ (જી.ડી. શાહ હાઇસ્કૂલ), ચંદ્રવદનભાઇ (પૂર્વ વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા શહેર ભાજપ મીડિયા સેલ), હર્ષિદાબેન શુકલ, વાસંતીબેન ત્રિવેદી, ભારતીબેન સાહા, રસીલાબેન જોશી, ક્રિષ્નાબેન રાવલ (યુકે)ના માતુશ્રી, મંદાબેન (આયુર્વેદ), મનીષાબેનના સાસુનું તા.20ના અવસાન થયું છે. બંને પક્ષની પ્રાર્થના સભા તા.21ના સાંજે 5 થી 5-30 પાબારી હોલ, તળાવની પાળ જામનગર છે.

વિસાવદર: ગિરનારા બ્રાહ્મણ નિર્મળાબેન ચંદ્રકાંતભાઇ સેવક (ઉ.92) તે વિસાવદરના એડવોકેટ સુબોધભાઇ સેવકના માતુશ્રી, અભિષેક, પાર્થના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.21નાં બપોરના 4 થી 6 સુંદરબા બાગ, વિસાવદર છે.

બગસરા: બ્રહ્મક્ષત્રિય મનહરલાલ ટપુભાઇ મર્થક તે પ્રભુદાસભાઇ, સ્વ. ગુણવંતરાય, પ્રદીપભાઇના ભાઇ, માધવીબેન, જાગૃતિબેન, કાશ્મીરાબેન, જસ્મીનભાઇના પિતાશ્રી, સ્વ. કરશનભાઇ ત્રિકમભાઇ આશારા (વાસાવડ)ના જમાઇનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21નાં સાંજે 4 થી 6 જૂની ખત્રી સમાજની વાડી બગસરા છે.

રાજકોટ: વિસાવદર વાળા સ્વ. પ્રભુદાસભાઇ છગનલાલ ગણાત્રાના પુત્ર મહેન્દ્રભાઇ (ઉ.67) (ફોટોગ્રાફર) તે અરૂણાબેનના પતિ, દિપીકાબેન શનિકુમાર હરખાણી, સુરભિબેન મિહીરકુમાર તન્ના, આશાબેનના પિતાશ્રી, પ્રિયાંશના નાના, સ્વ. રમેશભાઇ તથા ભાસ્કરભાઇના મોટાભાઇ, રંજનબેન ધીરજલાલ રાજાણી, કુસુમબેન, અનિલકુમાર નથવાણી, ભાવનાબેન કિર્તિકુમાર પોંદાના ભાઇ, સ્વ. મણીલાલ તુલસીદાસ (લાડુડી)ના જમાઇ, હિંમતભાઇ અને કિરીટભાઇના બનેવીનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની સાદડી તા.21ના સાંજે 4 થી 5, જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

રાજકોટ: નરસીભાઇ લક્ષ્મણભાઇ ફટાણીયા (ઉ.68) તે હિરેનભાઇના પિતાશ્રી, રમેશભાઇ કનુભાઇના ભાઇનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.21નાં સાંજે ચાર થી છ  “માતૃ છાયા” નેહરૂનગર શેરી નં.2, માલધારી ચોક પાસે, નાના મેઇન રોડ, રાજકોટ છે.

કોડિનાર : લીલાવંતીબેન કુમનલાલ વિઠલાણી (ઉં.76)તે સ્વ. કુમનલાલ છગનલાલ વિઠલાણી (વેળવાવાળા)નાં પત્ની, તે ચેતનભાઇ, ચંદ્રેશભાઇ, દિવ્યેશભાઇ, યોગીતાબેન ચેતનભાઇ કાનાણી (પોરબંદર), રીટાબેન રાજેશભાઇ હિંડોચા (રાજકોટ), સંગીતાબેન રાજેશભાઇ તન્ના (સુરત), સોનલબેન ભવનેશભાઇ ચોલેરા (રાજકોટ)નાં માતુશ્રી, શાંતિલાલ ચુનીલાલ અઢિયા (પોરબંદર)નાં દીકરીનું તા.20ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.21ને સોમવારે સવારે 9 કલાકે તેમનાં નિવાસસ્થાનેથી અનુરાગ સોસાયટી બ્લોક નંબર 51 ખાતેથી નીકળશે. ઉઠમણું, પ્રાર્થના સભા, પિયર પક્ષની સાદડી તા.21ના સાંજે 5થી 6 સોમનાથ મંદિર, કોડિનાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક