બે
શ્રમિકની હાલત અત્યંત ગંભીર
અમદાવાદ,
તા.19 : વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર
કરાયેલા જર્મન ડોમને ઉતારતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે
દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા બે શ્રમિકની હાલત અત્યંત ગંભીર છે. આ ડોમ
પાલ ઈવેન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એક ભાગ ખોલતા શ્રમિકો ઉપર બીજો ભાગ પડયો
હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી
ગયા કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી. ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની
હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ
નામના પીડિતે જણાવ્યું હતું કે, અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી
રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડયું હતું. જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ
12 લોકો હતા, આ ઘટના મોડી રાતે 3 વાગ્યે બની હતી.
જે બાદ અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના લોકો ઈજાગ્રસ્ત હોવાને કારણે
કોઈને કાંઈ સમજાઈ રહ્યું નહોતું. પછી નજીકમાં
જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ
લઈ જવામાં આવ્યા હતા. સદ્ભાગ્યે અમારી સાથે કોઈ મહિલા શ્રમિક નહોતી. હાલમાં બેની હાલત
ગંભીર જણાવાઈ રહી છે.