• મંગળવાર, 17 માર્ચ, 2026

ગુજરાતમાં AAPની મોટી જાહેરાત : તમામ 12000 બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી અધ્યક્ષ ઈસુદાન ગઢવીની જાહેરાત : 3 દિવસ સુધી ઉમેદવારોના નામ ઉપર પ્રદેશ ટીમ ચર્ચા કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.16 : ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અઅઙ તમામ 12000 સીટો પર ચૂંટણી લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી છે. પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે, આજથી ત્રણ દિવસ સુધી ઉમેદવારોના નામ પર પ્રદેશ ટીમ ચર્ચા કરશે. ત્રણ દિવસની ક્રાનિંગ પ્રક્રિયા પછી ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરીશું તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગે પણ પાર્ટી જલ્દી જ નિર્ણય લેશે. 

આમ આદમી પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીની સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ 12000 સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. આજથી સ્ટેટ ઇલેકશન કમિટી દ્વારા 16, 17 અને 18 તારીખ સુધી ત્રણ દિવસ સુધી જુદા જુદા ઝોનમાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.  ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું  હતું કે, ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની તમામ સીટો પર પૂરજોશમાં ચૂંટણી લડશે અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા અને ચૂંટણી લડવા માટે અનેક લોકો ઉત્સુક બન્યા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ‘ઓપન ટુ ઓલ’ની પદ્ધતિ અપનાવી છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં ધારાસભ્યો અથવા નેતાઓના પરિવારજનોને જ તક મળતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોમાંથી ઉમેદવારો પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. સમાજસેવકો, રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા છે અને તેમના પર પણ ચર્ચા કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં બાપ-બેટાની રાજનીતિથી અલગ જઈને સામાન્ય લોકોને નેતૃત્વ આપનારી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવશે. હાલ ત્રણ દિવસ સુધી ઉમેદવારોની ક્રીનિંગ પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક