યુવતીની વક્તા તરીકે પસંદગી કરી ફાર્મહાઉસમાં કુકર્મ આચર્યું હતું
અમદાવાદ,
તા.3: ગુજરાતમાં ચકચારી સુરત દુષ્કર્મ કેસના આરોપી આસારામની જામીન અરજીની મુદતમાં વધારો
કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આસારામે વધુ 03 મહિના જામીન વધારવા માગ કરી હતી.
હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે આ જામીન છેલ્લી વખત 01 મહિનો વધાર્યે છે.
સુરતની
યુવતી સાથેના દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી
છે. તેને આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ
સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા, જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી
હતી, જેથી અગાઉ ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી પર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના જામીન
ગ્રાહ્ય રાખ્યા હતા.
આ પહેલાં
27 જૂને હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. અરજી મુજબ આસારામ વયોવૃદ્ધ
અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનું સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં
આવ્યું હતું.
આ કેસની
વિગત જોઇએ તો સુરતની મહિલાએ આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં
1997 થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો
આક્ષેપ કરવામાં આવ્યો હતો. 2013માં આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગાંધીનગર
કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
પીડિતા
દ્વારા ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમની વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યાર
બાદ આસારામના ફાર્મહાઉસ શાંતિ વાટિકા પર આશ્રમની વ્યક્તિ તેને લઈ ગયા હતા, જ્યાં આસારામે
બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યાર બાદ ધમકી
આપી ત્યાંથી રવાના કરી હતી.