• ગુરુવાર, 09 મે, 2024

નવાગામ ઘેડમાં બે જૂથ વચ્ચે સશત્ર ધિંગાણું

લોઠિયા ગામે મેળામાં થયેલી તકરારના મનદુ:ખમાં સામસામા હુમલા, ચાર ઘાયલ

જામનગર, તા.26 : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં અગાઉના મનદુ:ખના કારણે બે જૂથ વચ્ચે સશત્ર ધિંગાણું થતા ચાર લોકોને ઈજા

પહોંચી હતી.

મળતી વિગતો મુજબ નવાગામ ઘેડમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. એકબીજા પર છરી, ધોકા પાઈપ વડે હુમલો કરાયો હતો. હુમલામાં ઈજા પામેલા લોકોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પણ ટોળા એકઠા થયા હતા. જેના કારણે પોલીસ દોડતી થઈ હતી અને જી.જી.હોસ્પિટલ તેમજ નવાગામ ઘેડ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

વધુ વિગતો મુજબ અગાઉ જામનગરના લોઠિયા ગામે ભરાયેલા મેળામાં થયેલી તકરારનું મનદુ:ખ રાખી ફરી બંન્ને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અન્ય એક બનાવમાં જામનગરના નાગેશ્વર વિસ્તારમાં ભાવિક જાદવ નામના 31 વર્ષના યુવાન પર ચાર જેટલા બુકાનીધારી શખસોએ હુમલો કર્યો હતો. તેમણે ધોકા-પાઈપ વડે માર મારતા ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક