ચેન્નાઇ, તા.24: આઇપીએલ 18મી સીઝનની તળિયાની બે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ શુક્રવારના મેચમાં આમને-સામને હશે ત્યારે બન્ને ટીમને વધુ એક હાર ભારે પડી શકે છે. નિરાશાજનક પ્રદર્શનમાંથી પસાર થઇ રહેલ સીએસકે અને એસઆરએચના ખાતામાં 2-2 જીતથી 4-4 અંક છે. અહીં મળતી વધુ એક હારથી પ્લેઓફની રેસ ખતમ થઇ જશે. આથી પ્લેઓફની રહીસહી આશા જીવંત રાખવા માટે બન્ને ટીમ માટે કરો યા મરો સમાન આ મેચ બની રહેશે. પ્લેઓફની આશા જીવંત રાખવા માટે બન્ને ટીમને અહીંથી બાકીના બધા મેચમાં જીત જરૂરી છે.
સીએસકે
ટીમ હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવવા માટે જાણીતી છે, પણ આ સીઝનમાં તે હોમ ગ્રાઉન્ડ ચેપોક
પર ફકત એક જ જીત મેળવી શક્યું છે અને ત્રણમાં હાર સહન કરી છે. ટીમનો કોચ સ્ટીફન ફલેમિંગ
ચેપોકની પિચ પર ખુલ્લેઆમ નારજગી વ્યકત કરી ચૂક્યો છે. આથી સનરાઇઝર્સ વિરુદ્ધના મેચમાં
સીએસકને પસંદની પિચ ક્યૂરેટર તરફથી મળી શકે છે. ચેપોકની વિકેટ સ્પિનર ફ્રેન્ડલી માનવામાં
આવે છે, પણ આ વખતે અહીં ઝડપી બોલરોને મદદ મળી રહી છે. નિયમિત કપ્તાન ઋતુરાજ ગાયકવાડ
બહાર થયા પછી ટીમનું સંતુલન બગડી ગયું છે. કામચલાઉ કપ્તાન એમએસ ધોની ઘૂંટણની સમસ્યાને
લીધે પોતાનું 100 ટકા યોગદાન આપી રહ્યો નથી. જે ટીમને અંતમાં ભારે પડી રહ્યંy છે. ટીમ
પાવરપ્લેમાં અને ડેથ ઓવર્સમાં રન ગતિ વધારી શકતી નથી. 17 વર્ષીય આયુષ મ્હાત્રએ સારો
સંકેત આપ્યો છે.
બીજી
તરફ 300 રનના ટાર્ગેટ સાથે આઇપીએલ-202પ અભિયાનની શરૂઆત કરનાર સનરાઇઝર્સ હૈદરાબાદ હવે
1પ0-17પ આસપાસના સ્કોર માટે સંઘર્ષ કરી રહી છે. તેનું કારણ તેની ઓપનિંગ જોડી ટ્રેવિસ
હેડ અને અભિષેક શર્માની નિષ્ફળતા છે. આ બન્ને ખેલાડી એક-બે ઇનિંગ સિવાય રન કરી શકયા
નથી. ઇશાન કિશન એક સદી પછી સતત નિષ્ફળ છે. નીતિશ રેડ્ડીના પણ આ જ હાલ છે. ફકત કલાસેન
સનરાઇઝર્સ માટે આશાનું કિરણ છે. બન્ને ટીમની ઝડપી બોલિંગમાં ડંખ નથી, પણ સીએસકે પાસે
સારા સ્પિનર્સ છે. આથી તેનું પલડું ભારે રહેશે.