• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

પ્રાચી તીર્થ: જીવનભાઈ પુરુષોત્તમભાઈ ચાવડા (ઉં.81) તે ગિરીશભાઈ તથા યોગેશભાઈ તથા શાંતિબેન તથા મધુબેનના પિતાશ્રીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.22ના 3થી 6 પ્રાચી મુકામે દરજી સમાજ ખાતે છે.

રાજકોટ : પન્નાબેન મહેશભાઇ સોલાણી તે છોટાલાલ જગજીવન સોલાણીનાં પુત્રવધૂ, મહેશભાઇનાં પત્ની, લેખાનાં માતુશ્રી તથા  દેવેનભાઇ, કેતનભાઇ, ભાવનાબેન અને કિન્તુબેનનાં ભાભીનું તા.19ના અવસાન થયું છે.

જામનગર: વડનગરા નાગર બ્રાહ્મણ ભાલચંદ્ર ઉત્તમલાલ પંડયા (ઉં.82) (નિવૃત્ત ફિશરીસ ઓફિસર), તે સ્વ. બીપીનભાઇ, મયુરભાઇ, ભારતીબેન, હર્ષિદાબેન, હિતાબેનના ભાઇ, જયદીપભાઈ, હિરેનભાઈ (પીજીવીસીએલ), ખ્યાતિબેન વિજયભાઇ પંડયા (જોયાનંદા કોલેજ)ના પિતા, શિવાંગીબેનના સસરા, સ્તુતિ, હસ્તના દાદાનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના સાંજે 6થી 6-30 ભાઇઓ, બહેનો માટે નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાનુશાળી વાડ, રામના મંદિર સામે, હવાઇ ચોક, જામનગરમાં છે.

ગોંડલ: મૂળ ટોડા હાલ ગોંડલ પ્રભાતસિંહ રાયસિંહ (પી.આર.) જાડેજા (પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા) (ઉં.81) તે ઓમદેવસિંહ (સદસ્ય નગરપાલિકા)ના પિતા, ગિરીરાજસિંહ, રઘુરાજસિંહ (નાગરિક બેન્ક), પૃથ્વીરાજસિંહ (મહિલા કોલેજ), ધર્મરાજસિંહ (અમર ટ્રાન્સપોર્ટ)ના કાકાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4થી 7 કડવા પટેલ સમાજની વાડી, ગુંદાળા રોડ, ગોંડલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક