• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

avsan nondh

રાજકોટ : રેલવે કર્મચારી સંજયકુમાર ભરતકુમાર પાધ્યાયનાં પત્ની રેખાબેન (ઉં.58)તે દર્શના, ધર્મિષ્ઠા તથા યશનાં માતુશ્રી તથા સ્વ. હરિલાલ છગનલાલ ઠાકરનાં પુત્રી તથા નરેન્દ્ર, દિલીપ, રાજેશ તથા મુકેશનાં બહેન તથા યશનાં નાનીનું તા.18ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.22ને સોમવારે સાંજે 5થી 6 દરજી જ્ઞાતિની વાડી, લક્ષ્મીવાડી હવેલી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: પ્રકાશભાઈ ગીરધરલાલ સોનછત્રાના પુત્ર યોગેશભાઈ (ઉ.34)નું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું ભીમનાથ મહાદેવ મંદિર, 2/8 ગાયત્રીનગર ખાતે તા.22ને સોમવારે સાંજે 4 થી 5 રાખેલ છે.

કુકસવાડા: ચોરવાડ ગિરીનારાયણ બ્રાહ્મણ મનિષભાઈ બાપુલાલ પાઠક (ગામગોર) તે સ્વ.કાનાભાઈ, સ્વ.રામદાસભાઈ, સ્વ.સગુણાબેન, કૌમુદીબેન તથા અચુબેનના નાના ભાઈનું તા.19ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.22ને સોમવારે 4 થી 6, બ્રહ્મપુરી, ચોરવાડ ખાતે રાખેલ છે.

પ્રાચી: કાંતિલાલ દેવચંદ કાનાબાર (ઉ.80) તે રમેશભાઈ, દિલીપભાઈ, જયશ્રીબેન, મિતેશભાઈ, વસંતભાઈ (કેશોદ)ના પિતાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું (બેસણું) તથા પિયર પક્ષની સાદડી તા.22ના સોમવારે સાંજે 4 થી 6, મોરડીયા ખાતે ગામના ચોરે રાખેલ છે.

રાજકોટ: સ્વ. સોની છોટાલાલ લીલાધર રાણપરાના પુત્ર, મનહરલાલ (ઉ.93) તે સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. હસમુખરાય, સ્વ. કાંતીલાલ હરીલાલ રાણપરા તેમજ કિરીટભાઇ હરીલાલ રાણપરાના મોટાભાઇ તેમજ કિશોરભાઇ, રાજેશભાઇ તથા ચંદ્રીકાબેન ભરતકુમારના પિતાશ્રી, તેમજ મહેશ, દિપેશના દાદાનું તા.19નાં રોજ અવસાન થયું છે.

મોરબી: મુળ ટંકારા, હાલ અમદાવાદ, મહેન્દ્રપુરી ડી. ગોસ્વામી (નાયબ નિયામક) (ઉ.79)તે મેહુલ તથા જીતેન્દ્રના પિતાનું તા.19ના રોજ અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક