• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: મંજુલાબેન મનસુખભાઈ ગોંડલીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 545મું ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

માળિયા હાટીના: મૂળરાજભાઇ છગનભાઇ ગાંધીના પુત્ર પરેશભાઇ (ઉ.54)તે નીતિનભાઇ, રોહિતભાઇ, રાજુભાઇ ગાંધીના નાનાભાઇનું તા.22ના રોજ અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.23ના રોજ બપોરે 2 વાગ્યે તેમના નિવાસસ્થાન વર્ધમાન ચોક, માળિયા હાટીના ખાતેથી નીકળશે. ઉઠમણું ગુરૂવાર તા.25ના સવારે 10 થી 11 તેમજ પ્રાર્થના સભા 11 થી 12 વાગ્યે જૈન ઉપાશ્રય, ગીર દરવાજા પાસે, માળિયા હાટીના મુકામે રાખેલ છે.

 રાજકોટ: મૂળ ભેસદળ હાલ રાજકોટ નિવાસી મગનભાઈ વિરજીભાઈ ખોલિયા તે કિરીટભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતા, તે કલ્પેશભાઈ (રવિભાઈ), ધારાબેન, વિરલભાઈ અને હિતાંશભાઈના દાદા, તે બાબુભાઈ નાથાભાઈ રાઠોડના બનેવીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.26ને શુક્રવારે સાંજે 4થી 6, નંદકિશોર હોલ, આંબલિયા હનુમાનની પાછળ, જંક્શન પ્લોટ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પોરબંદર: મુક્તાબેન (ઉ.9ર) તે સ્વ.જમનાદાસ ગોરધનદાસ સાયાણીના પત્ની તથા સ્વ.હરીશકુમાર, મુકેશભાઈ તેમજ રંજનબેન કિશોરભાઈ લુખ્ખા (જૂનાગઢ)ના માતુશ્રી તેમજ ભાવિન, કેતન, ભાવના, મનિષા અને ગીતાના દાદીમાનું તા.રરના અવસાન થયું છે.

રાજકોટ: શાંતિલાલ આણંદજીભાઈ રાયઠઠ્ઠા મુંબઈવાળા હાલ રાજકોટ તે સ્વ.સાકરબેન આણંદજીભાઈ રાયઠઠ્ઠાના પુત્ર (ઉ.વ.7ર) તે કુસુમબેનના પતિ, સ્વ.અમિતભાઈ તથા હાર્દિકભાઈના પિતા તથા માનવ, જીયાનના દાદા તથા સ્વ.નાનજીભાઈ, મણિલાલભાઈ, સ્વ.મોહનભાઈ, ગોદાવરીબેન, વલ્લભદાસ કોટેચા તથા સ્વ.ધીરજબાળા (બચીબેન), ચંદ્રકાંતભાઈ દક્ષિણીના ભાઈનું તા.રરનાં રાજ અવસાન થયું છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા.ર3ને મંગળવારે જંક્શન મેઈન રોડ, નંદકિશોર હોલ બારે, સાંજે 4 થી પ રાખેલ છે.

બુધેલ: હલુબેન (ઉ.90) તે સુલતાનભાઈ મઘરાના પત્ની તથા રહીમભાઈ મઘરાના માતુશ્રીનું તા.રરમીએ અવસાન થયું છે. જીયારત તા.ર4ને બુધવારે સવારે 9 વાગ્યે બહેનો માટે કુરેશી યુનુસભાઈ બચુભાઈના નિવાસ સ્થાને તથા ભાઈઓ માટે મસ્જીદે જૈતુન બુધેલ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક