• બુધવાર, 21 મે, 2025

avshan nodh

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી નારાયણ પ્રસાદદાસજીનો અક્ષરવાસ

ગઢડા (સ્વામીના): ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી અને શહેરના પ્રશ્નો ઉકેલવા માટે મંદિર તરફથી સાધુ તરીકે ચૂંટાઇને પ્રમુખ તરીકે પાણીના સંકટ મુદ્દે આદર્શ ઉકેલ લાવવાની યાદગાર કામગીરી બજાવનાર નારાયણ પ્રસાદદાસજી (ઉ.વ.87) વહેલી સવારે અક્ષરવાસી થયા છે. તેઓ ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના વર્તમાન સલાહકાર ભાનુ પ્રકાશદાસજીના ગુરૂ તથા ચેરમેન હરિજીવનદાસજી દાદાગુરુ હતા. નારાયણપ્રસાદ દાસે વર્ષ 1985માં ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમના નિધની મંદિર પરિવાર અને સમર્થક હરીભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સંતો, હરીભક્તો અને રાજકીય સામાજિક આગેવાનોએ જોડાઇને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

 

ચક્ષુદાન

રાજકોટ: નરેન્દ્રભાઇ નારણભાઇ અઘેરાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 675મું ચક્ષુદાન થયું છે. આ એપ્રીલ -25 મહિનામાં દસમું ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન સિવિલ ચોકીના એ.એસ.આઇ. રામશીભાઇ વરૂની પ્રેરણાથી કરાયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન, ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મહેતા- 9428506011નો સંપર્ક કરવા જણાવાયું છે.

ગોંડલ: અમિત (ઉ.વ.39) તે જીતેન્દ્રભાઈ વનમાળીદાસ ગઢીયાના પુત્ર, હિતેષભાઈ તથા પૂજાબેન મુકેશકુમાર તન્ના (રાજકોટ)ના ભાઈ, યુવરાજ, શ્રેયાના પિતાનું તા.ર0ને રવિવારે અવસાન થયું છે.

જામનગર: જયેશભાઈ (ઉ.વ.67) તે મિઠાપુર નિવાસી હાલ જામનગર સ્વ.લહેરચંદભાઈ અમૃતલાલ દોશીના પુત્ર, જ્યોતિબેનના પતિ, તે હીરલ સમીર મોદી, ઝંખના ધર્મેશ મહેતા તથા કોમલ આકાશ કામદારના પિતા, ભાનુબેન પટેલ, રાજેશ્રીબેન વોરા અને સ્વ.કેતનભાઈના મોટાભાઈ, વિનીતના અદા, શાંતિલાલ લઘુભાઈ મહેતા (જામનગર)ના જમાઈનું તા.ર0ના અવસાન થયું છે.

ઉપલેટા: દિનેશભાઈ બાબુભાઈ પિત્રોડા (ઉ.વ.61) તે સ્વ.અમૃતભાઈ સિદ્ધપુરા, સ્વ.દલસુખભાઈ સિદ્ધપુરા, સ્વ.શરદભાઈ સિદ્ધપુરા તથા ધીરજભાઈ સિદ્ધપુરા અને કિર્તિભાઈ સિદ્ધપુરાના બનેવીનું તા.ર0નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.રરને મંગળવારે બપોરે 4.30 થી સાંજે 6.30 સુધી મછુ કઠીયા સમાજ સ્ટેશન પ્લોટ, ગોંડલ મુકામે છે.

ધારી: મંજુલાબેન નિમાવત (ઉ.વ.76) તે નટવરલાલ મનોહરદાસ નિમાવતના પત્ની તથા ગીરીશભાઈ (ટ્રાન્સપોર્ટવાલા), દુષ્યંતભાઈ (ફાર્માસિસ્ટ સિવિલ હોસ્પિટલ, ધારી) તથા ચંદ્રેશભાઈ (ઉમા ટ્રાન્સપોર્ટ-જૂનાગઢ)ના માતા તા.ર0ને રવિવારે જૂનાગઢ મુકામે અવસાન થયું છે. બેસણુ તા.રપને શુક્રવારે રામજી મંદિર, લાયબ્રેરી રોડ, બપોરે 4 થી 6 છે.

પોરબંદર: મહેન્દ્રભાઈ વલ્લભદાસ નિમાવત (ઉ.વ.71) તે જીતુભાઈ અને જયેશભાઈના પિતાનું તા.18/4ના અવસાન થયું છે.

પોરબંદર: કમલેશભાઈ ખીમજીભાઈ આડતીયા (ઉ.વ.47) તે ખીમજીભાઈ હંસરાજભાઈ આડતીયાના પુત્ર તથા રાજના પિતાનું તા.19નાં અવસાન થયું છે.

માંગરોળ: ગીતાબેન રૂપારેલીયા (ઉ.વ.68) તે કિશોરભાઈના પત્ની, ગૌ.વા.હરજીવનદાસ (અમીપુરવાળા)ના પુત્રવધુ, જય તથા અમીબેન કપીલકુમાર ગણાત્રાના માતા, આકાંક્ષાબેનના સાસુ, રમેશભાઈ, હરીશભાઈ તથા અરુણાબેન તકવાણીના ભાભી, જગજીવનદાસ રાયઠઠ્ઠા (વેરાવળ)ના પુત્રી તેમજ નાનુભાઈ, શાંતિભાઈ, જીતેન્દ્રભાઈ, સંજયભાઈના બહેનનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.ર4ને ગુરૂવારે સાંજે 4 થી 6 લોહાણા મહાજનવાડી, માંગરોળ છે.

જૂનાગઢ: પ્રકાશભાઈ સન્મુખરાય બુચ તે નિશાબેન (યશુ)ના પતિ, ઉજાલા દેવેશ માંકડ, નેહા પિયુષ નાગર, જ્યોતના પિતા, મુકેશભાઈ નિખિલભાઈના ભાઈ અને કુલીન ઢેબર, રાજેશ ઢેબર તથા સરોજ અનિલ અવાશિયાના બનેવીનું તા.ર0ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણુ તા.રરને મંગળવારે સાંજે પ થી પ.4પ અનંત ધર્માલય, માંગનાથ રોડ, જૂનાગઢ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક