• ગુરુવાર, 23 જુલાઈ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: સુરેશચંદ્ર અમૃતલાલ શાહનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવ્યું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 882મું ચક્ષુદાન થયું છે.

ચક્ષુદાન

રાજકોટ : શાહ પરિવારના બિમલભાઈ નવીનચંદ્ર શાહ (ઉં.59)નું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીના પ્રયાસથી શાહ પરિવારના મીહિરભાઈ શાહ, રૂદ્રભાઈ શાહ બંન્ને ચક્ષુઓનું દાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો.ધર્મેશભાઈ શાહ, તેમની ટીમે સેવા આપી હતી.

ગોંડલ: ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ મુકુંદભાઈ મણિશંકર પંડયા (ઉં.78) તે સ્વ.ઉર્મિલાબેનના પતિ, ધર્મેશ પંડયા (કે.કે.ઈવેન્ટસ) ગોંડલ, વંદનાબેન ચિરાગકુમાર જોષી (રાજકોટ)ના પિતાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, લોહાણા બોર્ડિંગ, ભોજરાજપરા, શેરી નં.22 ખાતે છે.

ડોળાસા: લાભુબેન દેવાભાઈ મોરી (ઉં.80) તે કનકસિંહ, કિરીટભાઈના માતા, કનકસિંહ, રાજેશભાઈ, સુધીરભાઈના મોટામાં, પ્રતિકસિંહ, નેવિલસિંહ, હર્ષ અને જીતસિંહના દાદીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના કોમ્યુનીટી હોલ, બોડીદર રોડ, ડોળાસા છે.

રાજકોટ: સરલાબેન મોદી તે હસમુખભાઈ કાંતિલાલ મોદીના પત્ની, યતિનભાઈ, પાયલબેન શ્રીપાલકુમાર મહેતાના માતા, સેજલબેનના સાસુ, મહેશભાઈના ભાઈના પત્ની, દિપકભાઈ મોદીના ભાભી, સાહિલના દાદીમા, તે હિરાબેન વનમાળીદાસ અજમેરાના પુત્રી, ડો.ચંદ્રેશભાઈ અજમેરા, પ્રફુલભાઈ, ભાવનાબેન, ઈલાબેન, જસ્મીનબેનના બહેનનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સવારે 10 કલાકે વિતરાગ નેમિનાથ ઉપાશ્રયે છે. પ્રાર્થનાસભા સવારે 11 કલાકે છે.

કોટડાસાંગાણી: દર્શિત રાજેશભાઈ ચૌહાણ (ઉં.15) તે રાજેશભાઈ ચૌહાણના પુત્ર, મહેશભાઈ ચૌહાણના પૌત્ર, રાહુલભાઈના ભત્રીજા, વિરાજભાઈના મોટાભાઈનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, જેલ શેરી, કોટડાસાંગાણી છે.

રાજકોટ: નૈનેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉં.63)નું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.21ના સવારે 10-30 વાગ્યે, વૈશાલીનગર, શેરી નં.5, સ્થા.જૈન ઉપાશ્રય, રૈયા રોડ, ઓલ્ડ આમ્રપાલી સિનેમા (સીટી સેન્ટર) સામે, રાજકોટ છે.

ભાટિયા: મંગુબેન રામજીભાઈ સચદેવ (નંદાણાવાળા)(ઉં.97) તે સ્વ.રામજીભાઈ કેશવજીભાઈ સચદેવના પત્ની, સ્વ. ગોકલદાસ, સ્વ.કાનજીભાઈના ભાભી, સ્વ.મનસુખલાલ, કિશોરભાઈ, હેમતભાઈ, સ્વ.િદવાળીબેન વ્રજલાલ મોદી, સરલાબેન ગીરધરલાલ સીમરીયા, શાંતાબેન નરોત્તમદાસ દાવડા, શોભનાબેન નટવરલાલ પાબારી, માલતીબેન આનંદકુમાર સામાણીના માતા, ભીખુભાઈ, પારસભાઈ, રવિભાઈ, સાવનના દાદી, સ્વ.છોટાલાલ ધનજીભાઈ બારાઈના બહેનનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.22ના સાંજે 4-30 થી 5, દુધેશ્વર મહાદેવ મંદિર, ભાટિયા ખાતે ભાઈઓ તથા બહેનોનું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક