• બુધવાર, 21 મે, 2025

‘દર વખતે નિર્દોષના જીવ, આ માનવતાની હાર, ધર્મના નામે મોતનો ખેલ ક્યારે બંધ થશે’ ?

સચિન, ઇરફાન, નિરજ, સિંધુ, કોહલી, સિરાજ સહિતના ખેલાડીઓ આતંકી હુમલા પર આગબબુલા

નવી દિલ્હી, તા.23: કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં બેસરન ઘાટીમાં પ્રવાસીઓ પરના આતંકી હુમલામાં 27 નિદોર્ષના મૃત્યુની ઘટનાથી ખેલાડીઓએ ગુસ્સો ફૂટયો છે. કેટલાક ખેલાડીઓને નાપાક આંતકીઓને વીણીવીણીને ખતમ કરવાનું કહ્યંy છે. તો કેટલાક ખેલાડીઓએ આ ઘટનાને માનવતાની હાર ગણાવી છે. ખેલાડીઓએ આ ઘટના પર શોક વ્યકત કર્યો છે અને આતંકવાદીનો જડબાતોડ જવાબ મળશે તેવી ભાવના વ્યક્ત કરી છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે કહ્યંy છે કે દર વખતે નિદોર્ષની જાન જાય છે. માનવતા હારે છે. કાશ્મીરમાં જે થયું તે દિલ ચીરનારુ છે. હું આ દર્દ મહેસૂસ કરી રહ્યો છું જ્યારે ઇરફાનના ભાઇ અને સાંસદ યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આતંકી હુમલાની ઘટનાથી હું સ્તબ્ધ છું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આવી હિંસા કરનારા લોકોની સમાજમાં કોઇ જગ્યા નથી.

જયારે દિગ્ગજ સચિન તેંડુલકરે કહ્યંy કે પ્રભાવિત પરિવારો અકલ્પનીય પરીક્ષામાંથી પસાર થઇ રહ્યા છે. ભારત અને દુનિયા દુ:ખની ઘડીમાં તેમની સાથે છે. તેમને ન્યાય મળશે તેવો ભરોસો છે. સ્ટાર બેટરવિરાટ કોહલીએ લખ્યું છે કે આવા ક્રુર કૃત્યને અંજામ આપનાર આતંકીઓને સજા મળશે. પીડિત પરિવાર પ્રત્યે સંવેદના છે.

ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરાએ જણાવ્યું કે કાશ્મીરના આતંકી હુમલાથી દિલ હચમચી ગયું. પીડિતો અને તેના પરિવારજનો માટે પ્રાર્થન કરું છું. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ કહ્યંy કે દર્દ અસહ્ય છે. અમે ભોગ બનનારાની સાથે છીએ અને આતંકીઓને સજા મળશે તેવો ભરોસો છે જ્યારે ઝડપી બોલર મોહમ્મદ સિરાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે કે પહેલગામ આતંકી હુમલો ભયાનક અને ચોંકવનારો છે. ધર્મના નામે નિદોર્ષ લોકોની જાન લેવી પૂરી રીતે ખોટી છે. આ તે કેવી લડાઇ. આવું રાક્ષસી કૃત્ય મને આશા છે કે આ પાગલપન જલ્દીથી ખતમ થશે. આતંકીઓને તેમના અપરાધની સજા મળશે.

આ ઉપરાંત રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, સુરેશ રૈના, હરભજનસિંઘ, અનિલ કુંબલે સહિતના બીજા ખેલાડીઓએ પહેલગામ આંતકી ઘટનાની ઉગ્ર આલોચના કરી પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કર્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025