• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ભારતીય ખેલાડીઓ માત્ર પોતાના આંકડા માટે રમે છે !

ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીનો બફાટ

લંડન, તા.17 : ક્રિકેટ વિશ્વ કપ પહેલાં મનોવૈજ્ઞાનિક ગેમ શરૂ થઈ છે. ન્યૂઝિલેન્ડના પૂર્વ ઝડપી બોલર સાઇમન ડૂલે ભારતીય વન ડે ટીમ વિશે બફાટ કર્યો છે. તેણે કહ્યંy કે ભારતીય બેટરો માત્ર પોતાના આંકડા માટે રમે છે. તેમને આંકડા આધારિત ક્રિકેટમાં રસ છે અને પોતાના સ્વયંના સ્કોર અંગે ચિંતિત હોય છે.

ડૂલે વધુમાં કહ્યંy કે નિડર ક્રિકેટ તેમનો મુદ્દો છે અને તેઓ નિડર ક્રિકેટ રમતા નથી. ભારતીય ખેલાડીઓ આંકડા પર આધારિત ક્રિકેટ રમે છે. એટલે હું ભારતીય બાટિંગ અંગે ચિંતિત છું.