કનકાઈ
ફરવા જતી વખતે ઝઘડા બાદ કારથી કચડી નાખ્યો હતો
ઉના,
તા.23: ગીર સોમનાથમાં ઉના પોલીસે અકસ્માતના બનાવમાં ઊંડી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો
છે. પોલીસે આરોપી રોહિતગીરી ઉર્ફે રિકી ગોસ્વામીની ધરપકડ કરી છે. તેણે પોતાના બનેવી
ભરતગિરી ગૌસ્વામીની હત્યા કરી હતી.
ગત
તા.20 એપ્રિલના આરોપી રોહિગીરી તેના સંયુક્ત પરિવાર સાથે કનકાઈ ફરવા જઈ રહ્યો હતો.
રસ્તામાં કચરો ફેંકવા બાબતે વડીલોએ ના પાડતા તે ગુસ્સે થયો હતો ત્યારબાદ તેણે પોતાની
ઈકો કારથી ભરતગીરીને જાણી જોઈને અથડાવ્યા હતા. પ્રથમ દૃષ્ટિએ આ કેસ અકસ્માતનો લાગતો
હતો. પોલીસે સ્થળ તપાસ દરમિયાન શંકાસ્પદ પરિસ્થિતિમાં જોતા વધુ તપાસના આદેશ આપ્યા હતા.
સર્વેલન્સ ટીમને બાતમી મળી કે અકસ્માત નહીં પરંતુ હત્યાનો કેસ છે. પોલીસ તપાસમાં બહાર
આવ્યું કે, આરોપીએ બનેવીને રસ્તા વચ્ચે ઉભા રાખી, કાર વડે અથડાવ્યા હતા. એટલું જ નહીં,
તેમના પર કાર ચડાવી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ
કરતા તેણે ગુનો કબૂલ્યો હતો. મૃતકના પુત્ર મીતગીરી ગૌસ્વામી (ઉં.22)ની ફરિયાદના આધારે
પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યામાં વપરાયેલી કાર
પણ કબજે કરી છે.