સુરત, તા.13: તમિલનાડુ મર્કન્ટાઈલ બેંકમાંથી રૂ.16.38 કરોડની લોન લઈને બેંકને આર્થિક નુકશાન પહોંચાડવાના ગુનામાં સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અગાઉ ર8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી પ્રભાકર કાલીઅપ્પા નોડાર દ્વારા નોંધાવેલી ફરિયાદ
મુજબ, આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ જેમાં લોન લેનારા, તમિલનાડુ મર્કન્ટાઈલ બેંક,
રીંગ રોડ શાખા, સુરતના બેંક મેનેજર આર. સુંદર, ગેરેન્ટર અને વેલ્યુઅરનો સમાવેશ થાય
છે. કેસમાં આ બોગસ પેઢીઓના નામે લોન લઈ મોર્ગેજમાં મૂકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા
છતાં ઉંચી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજૂ કર્યા હતા. આ લોનના
રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કુલ રૂ.16,38,00,000નું આર્થિક નુકસાન
પહોંચાડયું હતું. જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ર8 આરોપીને ઝડપી પાડી મુખ્ય
સૂત્રધાર ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સુરત આર્થિક નિવારણ ગુના શાખાની
પોલીસની ટીમે સમગ્ર કૌંભાડના મુખ્યસુત્રધાર અશોક કાળુભાઈ કાનપરિયાને ઝડપી પાડયો છે.
મુખ્ય આરોપીએ પોતાના આર્થિક લાભ મેળવવાના ઈરાદે મેરીલ એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી
ઉભી કરી હતી. આ બોગસ પેઢીના નામે બેંકખાતું ખોલાવી, તમિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની
જગ્યા ખોટી દર્શાવીને રૂ.1 કરોડની સી.સી. લોન લીધી હતી. આરોપી પોતે કોઈ યાર્ન ટ્રેડિંગનો
ધંધા ન કરતા હોવા છતાં લોન માટે બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી રજૂ કર્યા હતા. ધંધા માટે
જે જગ્યા બતાવવામાં આવી હતી ત્યાં તેઓ પોતે કોઈ ધંધો કરતા ન હતા. ઉપરાંત, પકડાયેલા
આરોપીઓએ લોન લેતા પહેલા દુકાનો ખરીદ કરી હતી અને તે મિલકતો બેંકમાં મોર્ગેજમાં મકેલી
હતી, જેની વાસ્તવિક વેલ્યુ ઓછી હોવા છતાં વધારે દર્શાવવામાં આવી હતી.
અશોક
કાનપરિયાએ પોતાની પત્ની, સહ-આરોપી શીતલબેન અશોકભાઈ કાનપરિયાના નામે રૂ.1 કરોડની અને
તેના ભાઈ સંજયભાઈ કાળુભાઈ કાનપરિયાના નામે 75 લાખની લોન લીધી હતી. આર્થિક ગુના નિવારણ
શાખા દ્વારા આ સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.