નવી દિલ્હી, તા.13: ઇંગ્લેન્ડ વિરુદ્ધની પ ટેસ્ટ મેચની ટેસ્ટ મેચની શ્રેણીની ઠીક પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ફેમિલી ઈમરજન્સીને કારણે ભારત પરત ફર્યાં છે. કોચ ગૌતમ ગંભીરના માતાને હૃદયરોગનો હુમલો આવ્યો છે અને દિલ્હીની એક હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ છે. આથી ગંભીરે આજે દિલ્હી પહોંચ્યા છે. ભારતીય ટીમ ઇન્ટ્રા સ્ક્વોડ ટીમની તૈયારીમાં હતી ત્યારે કોચને સ્વદેશ પરત ફરવું પડયું છે. આ મેચ બંધ દરવાજા વચ્ચે રમાવાનો છે. જેમાં ઇન્ડિયા એ ટીમના ખેલાડીઓ પણ સામેલ છે. હવે આ મેચનું સંચાલન બેટિંગ કોચ સિંતાશુ કોટક અને બોલિંગ કોચ મોર્ને મોર્કલ કરશે.
રિપોર્ટ
અનુસાર કોચ ગંભીર લગભગ 16 તારીખે ઇંગ્લેન્ડ પહોંચી ફરી ટીમ ઇન્ડિયા સાથે જોડાશે. અનુભવી
ખેલાડીઓ અશ્વિન, કોહલી, રોહિત અને પુજારા વિનાની નવી ભારતીય ટીમનું સંચાલન કરવાની જવાબદારી
કોચ ગંભીરના શિરે છે. તેમણે યુવા ટીમને નિર્ભક બનીને ઇંગ્લેન્ડની ટીમનો સામનો કરવાની
યુવા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાડયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ
20 જૂનથી લીડસમાં શરૂ થશે.