આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ઝેરી તત્વ ભળ્યાનો ચોંકાવનારો દાવો : વધતી ગરમી-કાર્બન ડાયોકસાઈડથી આર્સેનિકનું પ્રમાણ જોખમી સ્તરે
નવી
દિલ્હી તા.રર : દુનિયાની અડધાથી વધુ વસતી જેનાથી પેટ ભરે છે તે ચોખા અંગે ચોંકાવનારો
રિપોર્ટ આવ્યો છે. ચોખા ઝેર બની રહ્યા છે અને ભારત સહિત દેશોમાં ચોખા ખાનારાઓને કેન્સરનો
ખતરો હોવાનો દાવો કરાયો છે.
આંતરરાષ્ટ્રીય
રિસર્ચમાં સામે આવ્યું છે કે ચોખાથી સ્વાસ્થ્યનું ગંભીર જોખમ ઉભું થઈ રહયું છે કારણ
કે તેમાં ઝેરી આર્સેનિકની માત્રા વધી રહી છે. વૈજ્ઞાનિકો અનુસાર જો સિલસિલો આ જ રીતે
ચાલતો રહ્યો તો ર0પ0 સુધીમાં માત્ર ચીનમાં જ 1.93 કરોડ લોકો કેન્સરનો શિકાર બની શકે
છે. રિપોર્ટમાં ભારત સહિત એશિયાઈ દેશો માટે ખતરો દર્શાવાયો છે. આર્સેનિક એક એવું ઝેરી
તત્વ છે જે જમીન, પાણી અને હવામાં કુદરતી રીતે મળી આવે છે. પરંતુ જયારે અનાજની ખેતી
થાય છે તો તે છોડ દ્વારા ચોખામાં પહોંચી જાય છે. આમ તો તેનું પ્રમાણ અત્યંત ઓછું હોય
છે પરંતુ જો વર્ષો સુધી તે શરીરમાં જાય તો કેન્સર, હૃદયરોગ જેવી ગંભીર બીમારી થઈ શકે
છે.
કોલંબિયા
યુનિવર્સિટીના પ્રોફેસર લુઈસ જિસ્કાએ આ સંશોધનની આગેવાની કરી હતી. તેઓ કહે છે કે વધી
રહેલી ગરમી, કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ચોખાને ઝેરી બનાવી રહ્યા છે. સંશોધકો એ ચીનના
ચાર અલગ અલગ ભાગમાં ર8 પ્રકારના ધાન્ય ઉગાડયા અને 10 વર્ષ સુધી તેના પર નજર રાખી હતી
જેનું પરિણામ ચોંકાવનારુ હતુ. તાપમાન અને કાર્બનડાયોકસાઈડમાં વધારા સાથે ચોખામાં આર્સેનિકનું
પ્રમાણ વધ્યાનું જણાયું હતું. ત્યાર બાદ સંશોધકોએ ભારત, બાંગ્લાદેશ, વિયેટનામ, ઈન્ડોનેશિયા,
મ્યામાર તથા ફિલિપિન્સમાં સંશોધન હાથ ધર્યુ અને જાણ્યું કે આ દેશોમાં ચોખાનો બહોળો
ઉપયોગ થાય છે અને લોકો આર્સેનિકથી કિડની,
ફેફસા, ચામડી અને કેન્સર જેવી બીમારીનો ભોગ બની રહયા છે. અમેરિકા અને યુરોપમાં સ્થિતિ
સામાન્ય છે પરંતુ ત્યાં બહારથી આવતાં ચોખાને કારણે જોખમ વધ્યું છે.
લાન્સેટમાં
પ્રકાશિત આ રિપોર્ટ અનુસાર, આર્સેનિકથી માત્ર કેન્સર નહીં, ડાયાબિટીસ, ગર્ભાવસ્થાની
સમસ્યા, બાળકોના માનસિક વિકાસ, ઈમ્યૂન સિસ્ટમને ગંભીર અસર થવા સાથે અનેક પ્રકારની ગંભીર
બીમારીનો ખતરો રહે છે. વૈજ્ઞાનિકોએ ચોખામાં આ ઝેરી તત્વનું પ્રમાણ કાબૂ કરવામાં આવે
તેવી જરુરીયાત દર્શાવી છે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.