અમેરિકાના
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં દાવો : કેપ્ટને જ વિમાનનાં એન્જિનને ઇંધણ રોક્યું હતું
: ભારતે કહ્યું; અંતિમ નિષ્કર્ષ પર જવું યોગ્ય નથી : પાઇલટ સંગઠન પણ નારાજ
નવી
દિલ્હી, તા. 17 : અમેરિકાના મીડિયાએ ચોંકાવનારો દાવો કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં
દુર્ઘટનાગ્રસ્ત બનેલા એર ઇન્ડિયાના વિમાનના કેપ્ટને વિમાનના ઇંધણને એન્જિનમાં જતું
બંધ કરી દીધું હતું.
જો
કે, ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમેરિકી અહેવાલને માત્ર પ્રારંભિક
તારણો પર આધારિત લેખાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અત્યારે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું
યોગ્ય નથી. સાથોસાથ અમેરિકાના અહેવાલ સામે ભારતીય પાઇલટ સંગઠનમાં પણ ભારે નારાજગી ફેલાઇ
હતી. વધુમાં એએઆઈબીએ ખરાઈ કર્યા વિના નિષ્કર્ષ ઉપર પહોંચવાની કોશિશ ઉપર ચિંતા વ્યક્ત
કરી હતી અને કહ્યું હતું કે પ્રારંભિક રિપોર્ટનો હેતુ માત્ર એ બતાવવાનો છે કે દુર્ઘટનામાં
શું થયું. અત્યારે કોઈ પરિણામ સુધી પહોંચવું ઉતાવળ કહેવાશે કારણ કે તપાસ હજી પૂરી થઈ
નથી.
વોલ
સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે વધુ
અનુભવી કેપ્ટનને પૂછયું હતું કે, તેમણે રન-વેથી ઉડાન ભર્યા પછી તરત સ્વિચને કટ ઓફ સ્થિતિમાં
કેમ કરી નાખી.
અહેવાલ
નોંધે છે કે, ફર્સ્ટ ઓફિસરે ગભરાટની લાગણી વ્યક્ત કરી હતી, જ્યારે કેપ્ટન શાંત બેઠા
હતા.
વોલ
સ્ટ્રીટ જર્નલે મામલાના જાણકારો, અમેરિકી પાઇલટો અને તપાસ પર નજર રાખતા સુરક્ષા તજજ્ઞોને
ટાંકીને આવો દાવો કર્યો હતો.
પ્રારંભિક
અહેવાલમાં અપાયેલાં વિવરણો પરથી જણાય છે કે, અમદાવાદ દુર્ઘટનામાં વિમાનના કેપ્ટને જ
એન્જિનને ઇંધણ રોકતાં ફ્યુઅલ સ્વિચ બંધ કરી નાખી હતી.
દરમિયાન,
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (એફઆઇપી)ના અધ્યક્ષ સી.એસ. રંધાવાએ અમેરિકી મીડિયા વોલ
સ્ટ્રીટ જર્નલના અહેવાલને નિરાધાર લેખાવી ટીકા કરતાં કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.
રંધાવાએ
ભારપૂર્વક કહ્યું હતું કે, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના અહેવાલોમાં પાઇલટો દ્વારા
એન્જિનોમાં ઇંધણનો પ્રવાહ પહોંચાડતી સ્વિચ બંધ કરી હોવાનો કોઇ જ ઉલ્લેખ નથી. લોકોએ
અંતિમ અહેવાલ આવવા પહેલાં કોઇ નિષ્કર્ષ પર પહોંચી જવું ન જોઇએ.
વિમાનોમાં
ફયૂલ સ્વિચ સલામત : એર ઈન્ડિયા
નવી
દિલ્હી, તા.17 : અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ પોતાના વિમાનોમાં ફયૂલ
કંટ્રોલ સ્વિચની તપાસ હાથ ધરી હતી જેમાં સબ સલામત મળ્યું છે. કંપનીએ પોતાના બોઈંગ
787 વિમાનોની ચકાસણી પૂરી કરી છે. એર ઈન્ડિયાએ બુધવારે પોતાના તમામ બોઈંગ 787 વિમાનોની
ફયૂલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કર્યાનું જાહેર કર્યુ અને કહ્યંy કે વિમાનોમાં ફયૂલ
કંટ્રોલને લોક કરતી સિસ્ટમમાં કોઈ ખામી જોવા મળી નથી. એરલાઈન કંપની વતી એક અધિકારીએ
આ વિગત જણાવી હતી. આ પહેલા અમદાવાદમાં એર ઈન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થયા બાદ
એએઆઈબીનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવ્યા બાદ ડીજીસીએએ તમામ રજિસ્ટર્ડ વિમાનોની ફયૂલ કંટ્રોલ
સ્વિચની ચકાસણી કરવા આદેશ આપ્યો હતો. એરલાઈન કંપનીઓને બોઈંગ 787 અને 737 વિમાનોની ઈંધણ
સ્વિચ લોકિંગની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.
એએઆઈબીના
રિપોર્ટમાં જણાવાયું હતું કે ગત મહિને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનની
ફયૂલ કંટ્રોલ સ્વિચ બંધ થઈ ગઈ હતી. જેથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં ર60 લોકોના મૃત્યુ
થયા હતા. એર ઈન્ડિયાએ જાહેર કર્યુ છે કે અમારા એન્જિનયરોની ટીમે તમામ બોઈંગ 787 વિમાનોની
ફયૂલ કંટ્રોલ સ્વિચને લોક કરતી ટેકનિકનું નિરીક્ષણ કર્યુ છે અને તેમાં કોઈ સમસ્યા જોવા
મળી નથી.
ઉલ્લેખનીય
છે કે ટાટા ગ્રુપની માલિકીની એરઈન્ડિયા પાસે કુલ 33 બોઈંગ 787 વિમાન છે. એર ઈન્ડિયા
એક્સપ્રેસ પાસે 7પ બોઈંગ 737 વિમાન છે. સાવચેતી માટે વિમાનોની ફયૂલ કંટ્રોલ સ્વિચની
ચકાસણી કરવામાં આવી છે.