• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

EUના ગુણવત્તાના નિયમોમાં ભારતના ચોખા નિષ્ફળ !

જંતુનાશકોના અવશેષોની હાજરી મુખ્ય કારણ

અમદાવાદ, તા. 16 : યુરોપિયન યુનિયન (ઈયુ) બજાર ભારતીય ચોખા નિકાસકારો માટે એક મોટો પડકાર બની રહ્યું છે. ઘણા ભારતીય ચોખાના શિપમેન્ટ ઈયુના કડક ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

નોંધનીય છે કે, દેશમાં ચોખાની નિકાસનું નિરીક્ષણ કરતી બે મુખ્ય એજન્સીઓ, કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ (એપેડા) અને નિકાસ નિરીક્ષણ પરિષદ વચ્ચે જવાબદારીના સ્પષ્ટ રેખાંકનનો અભાવ પણ સમસ્યાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

જુલાઈ 2026માં ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ દ્વારા પ્રકાશિત એક કાર્યકારી પત્ર અનુસાર ભારતે 2025માં ઈયુને આશરે 4,74,000 ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાંથી 52 કન્સાઈનમેન્ટ અટકાવવામાં આવ્યા હતા. ચોખા સપ્લાય કરતા મુખ્ય દેશોમાં ભારત આ સંદર્ભમાં પાકિસ્તાન પછી બીજા ક્રમે છે, જ્યાં 55 કન્સાઈનમેન્ટ અટકાવવામાં આવ્યા હતા. ભારતીય ચોખાના માલને નકારવાનું એક સૌથી સામાન્ય કારણ જંતુનાશકોના અવશેષોની હાજરી છે, જે ઈયુમાં પ્રતિબંધિત છે પરંતુ ભારતમાં હજુ પણ ઉપયોગમાં લેવાય છે. વધુમાં, કેટલાક કિસ્સાઓમાં ચોખાના અયોગ્ય સંગ્રહ અને લણણી પછીના સંચાલનને કારણે ફૂગ સંબંધિત સમસ્યાઓ પણ નોંધાઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક