જામનગર, તા.23: જામનગરના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા એક પરિવારની સગીર વયની ભોગ બનનાર પુત્રીને જોડિયા તાલુકાનો આરોપી સંજય વેલજીભાઈ મકવાણા આશરે 2 વર્ષ પહેલા સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. જે બાબતની ફરિયાદ ભોગ બનનાર પિતાએ જોડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ બનાવમાં
આરોપી ભોગ બનનારને સામખીયાળી અને ત્યાંથી સાતલપુર તેના કોઈ મીત્રની વાડીએ સગીરાને લઈ
ગયો હતો. જ્યાં આરોપીએ સગીરા સાથે જબરદસ્તીથી શરીર સંબંધ બાંધેલો, અને ત્યારબાદ સગીરાને
અલગ અલગ શહેરોમાં લઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી સી.પી.આઈ કચેરી ધ્રોલ દ્વારા
આરોપીને અદાલતમાં રજૂ કરતા આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસના
આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ કેસમાં જામનગરની સ્પે.પોક્સો
કોર્ટે સંજય વેલજીભાઈ મકવાણાને આરોપી ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તેમજ રૂા.4 લાખ
રૂપિયા ભોગ બનનારને સરકારી સહાય યોજના હેઠળ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.