નવી દિલ્હી, તા.23: એર ઈન્ડિયા દ્વારા 19 રુટ ઉપર સંચાલિત 118 સાપ્તાહિક ઉડાનોને હંગામી ધોરણે ઘટાડવાનો અને ત્રણ માર્ગો ઉપર સેવા સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા તાતા જૂથની આ એરલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં પણ 1પ ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. હવે એર ઈન્ડિયાએ કહ્યું છે કે, તે પોતાનાં નાના કદનાં વિમાનનાં બેડાંમાંથી પ ટકા જેટલી સેવાઓને અસ્થાયી રૂપે અટકાવવા જઈ રહી છે. જે કમસેકમ 1પ જુલાઈ સુધી લાગુ રહેશે. જ્યારે બેંગ્લુરુ-સિંગાપુર, પુણે-સિંગાપુર અને મુંબઈ-બાગડોગરા રુટ ઉપર અઠવાડિયામાં 7 ફ્લાઈટ 1પ જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. દિલ્હી-બેંગ્લુરુ અને દિલ્હી-મુંબઈ સહિતનાં અન્ય માર્ગો ઉપરની ઉડાનોમાં પણ ઘટાડો થશે. એર ઈન્ડિયાનાં કહેવા અનુસાર તેનાં નેટવર્ક ઓપરેશનમાં સ્થિરતાને મજબૂત બનાવવા અને યાત્રીઓને છેલ્લી ઘડીએ થતી અસુવિધાઓ ઓછી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ઈંદોરમાં યાંત્રિક ખામી આવતાં
વિમાન ઉડાન જ ન ભરી શક્યું
નવી દિલ્હી, તા. 23 : અમદાવાદ
વિમાન દુર્ઘટના બાદ ઉડ્ડયન ક્ષેત્ર માટે કપરો કાળ શરૂ થયો છે. ઈન્ડિગોની ઈન્દોરથી ભુવનેશ્વર
જઈ રહેલી ઉડાનમાં યાંત્રિક ખામી આવી જતાં રન-વે વચ્ચેથી જ પરત ફરી હતી. મળતી માહિતી
મુજબ ઈન્ડિગોની ઉડાન ભુવનેશ્વરથી સવારે સવા છ વાગ્યે રવાના થઈ, સવા આઠ વાગ્યે એરપોર્ટ
પર ઊતરાણ કરે છે. આજે બીજી ઉડાન ભરતાં પહેલાં જ વિમાનમાં યાંત્રિક ખામી આવી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિમાન ભુવનેશ્વર પહોંચ્યા પછી અમદાવાદ જવા ઉડાન ભરતું હોય છે.