ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી દેશમાં 60થી વધુ ઉડાનને અસર
નવી
દિલ્હી, તા. 24 : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા ઘર્ષણી અસર વૈશ્વિક ફલાઈટસ ઉપર પડી હતી.
આ તણાવમાં અમેરિકાની દખલ બાદ પશ્ચિમ એશિયાના પ્રમુખ દેશોએ પોતાના હવાઈ ક્ષેત્રોને બંધ
કરી દીધા હતા. જેના કારણે 750 જેટલી ફલાઈટને રદ કરવી પડી હતી. સૌથી વધારે ફલાઈટ દુબઈ
એરપોર્ટથી રદ કરવામાં આવી હતી. જ્યારે અન્ય વિદેશી એરલાઈન્સે પણ ફલાઈટ રદ કરી હતી.
ઈરાન-ઈઝરાયલ
યુદ્ધે ભારતથી મધ્ય પૂર્વ તરફ જતી અને આવતી ઉડાનોને ગંભીર અસર પહોંચાડી હતી. વધતા તણાવ
અને હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અત્યાર સુધીમાં 60થી વધુ ઉડાન રદ કરવામાં આવી છે.
દિલ્હી હવાઈમથકથી 48 ઉડાન રદ કરવામાં આવી છે. આમાંથી 28 ફ્લાઇટ્સ દિલ્હી આવવાની હતી
અને 20 ઉડાન દિલ્હીથી રવાના થવાની હતી.
જયપુર
હવાઈ મથકેથી 6 વિમાન રદ કરવામાં આવ્યા હતા જેમાં મધ્ય પૂર્વ તરફ જતા અને આવતા 3 વિમાનનો
સમાવેશ થાય છે. યુએઈ-કતાર હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે લખનઉ એરપોર્ટથી અબુધાબી અને
શારજાંહ જતી 2 ઉડાન પણ રદ કરવામાં આવી છે.
અમદાવાદ
હવાઈમથકે આવતી પાંચ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેમાં લંડન, અબુધાબી, દુબઈ, કુવૈત
અને દોહાથી આવતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. તે જ રીતે, અમૃતસર એરપોર્ટથી દુબઈ જતી ઉડાન
એસજી-55 પણ રદ કરવામાં આવી છે.