ઈમર્જન્સી ખરીદી માટે નિર્ણય : DRDOએ આપ્યો 28 હથિયાર પ્રણાલી આપવાનો પ્રસ્તાવ
નવી
દિલ્હી, તા. 24 : ભારત સરકારે આતંકવાદ સામે સેનાની ક્ષમતાને વધારે મજબૂતી આપવાના હેતુથી
એક મોટો નિર્ણય કરતા 1981.90 કરોડ રૂપિયાની 13 રક્ષા સમજૂતી કરી છે. આ સમજૂતિ ઈમર્જન્સી
ખરીદ તંત્ર હેઠળ કરવામાં આવી છે. જેથી સીમાપારના આતંકવાદનો સામનો કરવા સેનાની તૈયારીને મજબૂત કરી શકાય. આ ઉપરાંત દુનિયાભરમાં
ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય સેનાને વધારે શક્તિશાળી બનાવવાની કોશિશમાં
ડીઆરડીઓએ ત્રણેય સેનાને 28 હથિયાર સિસ્ટમ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
1981
કરોડ રૂપિયાની સમજૂતી હેઠળ ઈન્ટીગ્રેટેડ ડ્રોન ડિટેક્શન અને ઈન્ટરડિક્શન સિસ્ટમ, લો
લેવલ લાઈટવેટ રડાર, ઓછી દૂરીની વાયુ રક્ષા પ્રણાલી, લોન્ચર અને મિસાઈલ, રિમોટલી પાયલેટેડ
એરિયલ વ્હીકલ, વર્ટિલ ટેક ઓફ લેન્ડિંગ સિસ્ટમ સહિત લોઈટરિંગ મ્યુનિશન, વિભિન્ન શ્રેણીના
ડ્રોન, બુલેટ પ્રૂફ જેકેટ, બેલેસ્ટિક હેલમેટ વગેરે હથિયાર અને ઉપકરણ ખરીદવામાં આવશે.