કર્ણાટક સભાને સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું, ઈરાને હંમેશાં ભારતનું સમર્થન કર્યું
બેંગ્લોર, તા. 23 : તમે વિશ્વગુરુ
હો કે ઘરના ગુરુ, પણ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ પ્રયત્નો કરવા જોઈએ. કેમ કે, વર્ષોથી ઈરાનની ભારત સાથે મિત્રતા છે તેવા પ્રહાર
કર્ણાટકના રાયચૂરમાં સોમવારે જનસભાને સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ
જણાવ્યું હતું.
એક મીડિયા હેવાલ મુજબ, ખડગેએ
કહ્યું હતું કે, મોદી વિશ્વગુરુ હો કે ઘરના ગુરુ, પણ લોકોને પેટ્રોલ, ડીઝલ, ભોજન, કપડાં
અને માથાં પર છતની જરૂર છે. વડાપ્રધાને યાદ અપાવ્યું કે, ઈરાને હંમેશાં ભારતનું સમર્થન
કર્યું છે. કેમ કે, દેશ પોતની ઈંધણ ખપતના 50 ટકા હિસ્સો ઈરાન પાસેથી આયાત કરે છે તેવા
પ્રહાર ખડગેએ કર્યા હતા.
સભાને સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષે
જણાવ્યું હતું કે, મોદી હંમેશાં વિપક્ષને પછાડવાના પ્રયાસ કરે છે, પણ પહેલગામ હુમલા
બાદ બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં તે ગાયબ હતા, જે દર્શાવે છે કે, તેઓ વિપક્ષનું સન્માન
નથી કરતા.
જ્યારે દેશ અને સૈનિકો એક બાજુ
પહેલગામ આતંકી હુમલા સામે લડી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન મોદી બિહારની ચૂંટણીના પ્રચારમાં
વ્યસ્ત હતા.