• શનિવાર, 20 એપ્રિલ, 2024

સ્મશાન ગૃહોમાં લાકડાના બદલે  વિદ્યુત ભઠ્ઠીમાં અગ્નિ સંસ્કારનું પ્રમાણ 6% વધારે

આજે વિશ્વ પર્યાવરણ દિવસ

વર્ષ 2023માં વિદ્યુત ભઠ્ઠીમાં 2,491 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરાતા આશરે 25 હજાર મણ લાકડાની બચત

રાજકોટ, તા.4: પર્યાવરણ સમગ્ર જીવસૃષ્ટિનું હૃદય છે. પર્યાવરણ થકી જીવન શક્ય છે. આજના સમયમાં આધુનિકરણની દોડમાં પર્યાવરણ પર વિપરીત અસર થતા સમગ્ર જીવસૃષ્ટિ પર ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે તા. 5 જૂના રોજ પર્યાવરણ બચાવ અર્થે ‘િવશ્વ પર્યાવણ દિવસ’ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પરંપરાઓથી મૃત્યુ બાદ લાકડાની મદદથી દેહના અકગ્ન સંસ્કાર કરવામાં આવે છે. જેમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે સમયાંતરે પરિવર્તન આવતા હવે મૃતદેહોને વિદ્યુત ભઠ્ઠી અને ગેસ ભઠ્ઠીમાં અગ્નિદાહ આપવામાં આવે છે.

રાજકોટની વાત કરીએ તો, રાજકોટના મુખ્ય પાંચ સ્મશાનોમાં આધુનિક વિદ્યુત ભઠ્ઠી કાર્યરત છે જ્યારે રામનાથપરા ખાતે ગેસ ભઠ્ઠી પણ કાર્યરત છે. જેનો ઉપયોગ અગ્નિ સંસ્કાર માટે કરાય છે. વર્ષ 2023માં પાંચ માસ દરમિયાન 2491 લોકોના અગ્નિ સંસ્કાર વિદ્યુત ભઠ્ઠીમાં જ્યારે 1991 લોકોના અગ્નિ સંસ્કાર લાકડાના ઉપયોગથી કરવામાં આવ્યા છે. આમ 56% મૃતકોના પરિવારજનોએ વિદ્યુત ભઠ્ઠીનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

રામનાથપરા સ્મશાનના સંચાલક સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, હવે સમય બદલાઈ રહ્યો છે. શિક્ષિત અને આધુનિક વિચારધારાવાળા લોકો લાકડાના બદલે વિદ્યુત ભઠ્ઠીને પ્રાથમિકતા આપે છે. 

અગ્નિદાહ માટે પ્રતિ વ્યક્તિ 10 મણ લાકડાની સરેરાશ ખપત ગણીએ તો વર્ષ 2023માં જાન્યુઆરીથી મે માસ દરમિયાન 2491 લોકોના અગ્નિ સંસ્કારમાં આશરે 25 હજાર મણ લાકડું બચ્યું છે. પ્રતિ મણ લાકડાનો ખર્ચ 110 રૂ. જેટલો આવે છે. એટલે કે 26 લાખ રૂ. જેટલી આર્થિક બચત થઈ છે. માત્ર એટલું નહીં, સામે એટલા વૃક્ષ ઉપલબ્ધ વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક