• મંગળવાર, 17 જૂન, 2025

જાબાળ ગામમાં બળદ ગાડું તણાયું, એક વ્યક્તિ અને બળદનું મૃત્યુ પિતા-પુત્ર ખેતી કરી ઘરે પરત ફરી રહ્યાં હતા : પુત્રનો આબાદ બચાવ

સાવરકુંડલા, તા. 15: સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં ખોરાળીના રસ્તે એક બળદ ગાડું તણાતા બળદ અને તેમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.  પ્રાપ્ત માહિતી મુજબ, સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં ખોરાળીના રસ્તે પ્રથમ વરસાદમાં પાણી ભરાતા એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. બાપ અને દીકરો ખેતરેથી કામ કરી પોતાના બળદગાડામાં  ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે બળદ ગાડું તણાયાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં 75 વર્ષના લાલજીભાઈ હરજીભાઈ બરવાળિયાનું ઘટનાસ્થળે જ દુ:ખદ મૃત્યુ થયું હતું. તેમજ તેમના 40 વર્ષીય પુત્ર મુકેશભાઈ લાલજીભાઈ બરવાળિયાનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. દુર્ભાગ્યે, આ ઘટનામાં બળદનું પણ મૃત્યુ થયું હતું. આ દુ:ખદ ઘટનાથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક