ઇંગ્લેન્ડમાં
સ્પિનર્સ સફળ રહેશે તેવું ચાઇનામેન બોલરનું માનવું
લીડસ,
તા.16: ચાઇનામેન બોલર કુલદીપ યાદવ ઇંગ્લેન્ડ સામેની પ ટેસ્ટની શ્રેણી અગાઉ સાથી ખેલાડી
અને અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજા સાથે ખાસ્સો સમય પસાર કરી રહ્યો છે. કુલદીપે તેની
કેરિયરમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં માત્ર એક ટેસ્ટ મેચ રમ્યો છે. જે લોર્ડસમાં
2018માં રમાયો હતો. તેણે એ મેચમાં 44 ઓવર ફેંકી હતી અને એક પણ વિકેટ મળી ન હતી. તેના
નામે 13 ટેસ્ટમાં 37.3ની સ્ટ્રાઇક રેટથી પ6 વિકેટ છે. જે ટેસ્ટ ઇતિહાસમાં કોઇ પણ સ્પિનરથી
સારી સ્ટ્રાઇક રેટ છે.
ઇંગ્લેન્ડ
પ્રવાસની પ મેચની શ્રેણીમાં ભારતીય ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાની પસંદગી નિશ્ચિત માનવામાં
આવે છે. જો બે સ્પિનરને મોકો મળશે તો કુલદીપ યાદવને મોકો મળી શકે છે. ઘરેલુ શ્રેણીમાં
0-1થી પાછળ રહ્યા બાદ ઇંગ્લેન્ડને 4-1થી ટીમ ઇન્ડિયાએ હાર આપી હતી. આ શ્રેણીમાં કુલદીપે
19 વિકેટ લીધી હતી.
શુક્રવારથી
શરૂ થતાં પ્રથમ ટેસ્ટ પૂર્વે કુલદીપ યાદવે જણાવ્યું કે જાડેજા સાથે રમવું સન્માનની
વાત છે. મેં જયારે ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેમણે ઘણી મદદ કરી હતી. હવે અમે સતત ચર્ચા
કરીએ છીએ કે ઇંગ્લેન્ડના બેટધરો સામે કઈ રીતે બોલિંગ કરવી. હું મેદાન બહાર પણ જાડેજા
સાથે ઘણો સમય પસાર કરૂ છું. જેથી મને રણનીતિ, ફિલ્ડીંગ ગોઠવણી જેવું ઘણું શિખવા મળે
છે. ટીમ બસમાં કુલદીપ જાડેજાની બાજુની સીટ પર બેસે છે. આ સીટ પહેલા કપ્તાન રોહિત શર્માની
હતી. જયારે ગિલની કપ્તાની પર કહ્યંy કે ભારતીય ટીમની કપ્તાની કરવા માટે તે પૂરી રીતે
તૈયાર છે. તેના પર કોઇ દબાણ નથી.
આ વિશે
સવાલ થતાં કુલદીપે કહ્યંy હું રોહિતભાઇની જગ્યા ન લઇ શકુ. બસ ફક્ત જડ્ડુભાઇ પાસે બેસવા
તેમની સીટ પર બેસું છું. કુલદીપ યાદવનું માનવું છે કે આ શ્રેણીમાં ફકત ઝડપી બોલર જ
નહીં પણ સ્પિનરોની ભૂમિકા પર મહત્ત્વની બની રહેશે. કારણ કે અહીંની કેટલીક પીચ પર સ્પિનરોને
સારી સફળતા મળે છે.