24 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના
પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 11 પરિવાર બીજા સ્વજનના ઉગઅ મેચની રાહમાં
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.16: અમદાવાદ વિમાન
દુર્ઘટનામાં 99 મૃતકના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 64 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે, એવું અમદાવાદ સિવિલ
હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનોને
સાંત્વના સંદેશ પણ પાઠવ્યો હતો.
વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ
જણાવ્યું હતું કે 24 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે
11 પરિવાર બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ
પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના
પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી
અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.
મૃતકોના પરિવારજનોને સાંત્વના
સંદેશ પાઠવતા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સમગ્ર આરોગ્ય વિભાગ પરિવારજનોના દુ:ખમાં
સામેલ છે અને ઝડપથી તેમને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવા પ્રતિબદ્ધ છે. સિવિલ હોસ્પિટલ
તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા 10 જેટલા સંપર્ક નંબરો દ્વારા પરિવારજનો સાથે સતત
સંપર્કમાં છે.
સાથે જ, તેમણે પરિવારજનો પાર્થિવ
દેહ સ્વીકારવા આવે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તેમને જરૂરી પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજી
પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા માટે કરવામાં આવેલી વિવિધ જરૂરી વ્યવસ્થાઓ વિશે પણ માહિતી
પૂરી પાડી હતી.